AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામના ત્રીસ મિનિટ પહેલા પણ પરીક્ષા ફોર્મ ભરી શકશે

નિવર્સિટી દ્વારા પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ વેબસાઇટ પર જાહે રકરવામાં આવ્યું છે. અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેમેસ્ટર મુજબ પરીક્ષાનો સમય પણ યુનિવર્સીટીએ જુદો જુદો  રાખ્યો છે.

Surat : હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામના ત્રીસ મિનિટ પહેલા પણ પરીક્ષા ફોર્મ ભરી શકશે
Surat: University students will now be able to fill up the exam form even thirty minutes before the online exam
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 2:59 PM
Share

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામના(Online Exams ) ત્રીસ મિનિટ પહેલા પણ પરીક્ષા ફોર્મ ભરી શકશે. યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે, ઘણી વખત વિદ્યાર્થીઓ બિમારી સહિતના કારણોથી પરીક્ષાના ફોર્મ ભરી શકતા ન હતા અને તેને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જતા હતા. આમ, આવી સ્થિતિને જોતા વિદ્યાર્થીઓના હીતને ધ્યાને રાખી પરીક્ષાના ત્રીસ મિનિટ પહેલા ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા અમે ઊભી કરી છે.

જો કે, તે સમયે વિદ્યાર્થીઓએ રૂ. બે હજાર પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મને લગતી માહિતી કોલે જોને આપવાની રહેશે અને વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસી જવાનું રહેશે. જે પછી કોલેજ વિદ્યાર્થીઓને લોગીન આઇડી આપશે અને વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થાય પછી કોલેજે તાકિદે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરી યુનિવર્સિટીને આપવાનું રહેશે.

આ સેવાનો લાભ યુજીના એકથી પાંચ સેમેસ્ટરના તથા પીજીના એકથી ત્રણ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મળશે. અહીં વાત એવી છે કે પહેલા પરીક્ષાની તારીખની જે તે તારીખથી સાત દિવસ પહેલા લેઇટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરવાનું રહેતું હતું. પણ હવે પરીક્ષાના સમયથી ત્રીસ મિનિટ પહેલા ફોર્મ ભરી શકાશે.

 25 નવેમ્બરે મોક ટેસ્ટ અને 29મીથી ઓનલાઇન એક્ઝામ યુનિવર્સિટી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદા જુદા સેમેસ્ટરની 25 નવેમ્બરેથી ઓનલાઇન મોક ટેસ્ટ શરૂ થઈ રહી છે. તે પછી 29 નવેમ્બરથી મેઇન ઓનલાઇન એક્ઝામ શરૂ થઈ રહી છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ વેબસાઇટ પર જાહે રકરવામાં આવ્યું છે. અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેમેસ્ટર મુજબ પરીક્ષાનો સમય પણ યુનિવર્સીટીએ જુદો જુદો  રાખ્યો છે.

 હવે 5 મિનિટ પહેલા લોગીન થવાશે, 3 વોર્નિંગ પછી વિદ્યાર્થી પરીક્ષાની બહાર યુનિવર્સિટીએ આ વખતે ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સી બદલી નાંખી છે. તેવામાં નવી એજન્સીના નવા સોફ્ટવેર પ્રમાણે વિદ્યાર્થી પાંચથી દસ મિનિટ પહેલા એક્ઝામ માટે લોગીન થઈ શકશે. ઓનલાઇન પરીક્ષા સમયે જો વિદ્યાર્થી ગેરરીતિ કરતો પકડાશે તો યુનિવર્સિટી ત્રણ વખત વોર્નિંગ આપવામાં આવશે.જો  તેમ છતાં પણ વિદ્યાર્થી ગેરરીતિ કરશે તો સોફ્ટવેર વિદ્યાર્થીને પરીક્ષામાંથી બહાર કાઢી દેશે.

ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા કોલેજોમાં પણ પ્રોક્ટરો પણ નીમવામાં આવશે  યુનિવર્સિટીના હેડ ક્વોટરમાં મેઇન પ્રોક્ટરો તો પહેલાથી જ  છે, પરંતુ હવે કોલેજ પણ પ્રોક્ટરની નિમણૂક કરવા ઇચ્છતું હોય તો નીમી શકશે. અમરોલી કોલેજમાં આવી સુવિધા ઊભી કરી દેવામાં આવી છે. અન્ય કોલેજો પણ યુનિવર્સિટીમાં અરજી કરીને પ્રોક્ટરની નિમણૂક કરવા ઇચ્છતી હોય તો કરી શકશે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">