સુરતમાં કોરોના બાદ હવે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાનો ખતરો, આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં
એક તરફ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાને કંટ્રોલમાં કરવા માઈક્રો પ્લાનિંગ કરી રહ્યું છે. મોટાભાગનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો છે તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ફક્ત સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ગેસ્ટ્રો મળીને કુલ 272 કરતા વધુ કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં […]
એક તરફ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાને કંટ્રોલમાં કરવા માઈક્રો પ્લાનિંગ કરી રહ્યું છે. મોટાભાગનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો છે તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ફક્ત સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ગેસ્ટ્રો મળીને કુલ 272 કરતા વધુ કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 45, મેલેરિયાના 64, તાવના 118 અને ગેસ્ટ્રોના 45 કેસો નોંધાવા પામ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં અને જે સ્થળે પાણી ભરાયા હતા એ વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવની મોટી ફરિયાદો ઉઠી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેને આરોગ્ય વિભાગ નાથવામાં સંપૂર્ણ નિષ્ફ્ળ ગયું છે. ગંભીરતા એ પણ છે કે તાવ અને ઝાડા ઉલ્ટી થયા બાદ વેડરોડ અને વરાછાના બે વ્યક્તિના મોત પણ થયા છે.આમ કોરોના બાદ હવે શહેરમાં વકરી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ સુરતના લોકો અને મનપાના આરોગ્ય વિભાગ સામે મોટો પડકાર ઉભો કર્યો છે. જો મનપા હવે આ રોગોને નાથવા પણ નક્કર કામગીરી શરૂ નહીં કરે તો કોરોના સિવાય આ રોગચાળો લોકોને પોતાના ભરડામાં લેવાનું શરૂ કરશે તો નવાઈ નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો