પાક. પ્રધાનમંત્રી ઈમરાન ખાને સ્વીકાર્યું કે, વિશ્વમાં આતંકવાદના ફેલાવામાં પાકિસ્તાનની ભૂમિકા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે Council on Foreign Relationsમાં અનેક મુદ્દા પર વાત કરી છે. આ દરમિયાન પાકિસ્તાનનો અસલી ચહેરો પણ સામે આવ્યો છે. ઈમરાન ખાને માન્યું કે, સોવિયત સંઘમાં આતંકવાદ ફેલાવવા અલકાયદાને પાકિસ્તાન આર્મી અને ISI દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે Council on Foreign Relationsમાં અનેક મુદ્દા પર વાત કરી છે. આ દરમિયાન પાકિસ્તાનનો અસલી ચહેરો પણ સામે આવ્યો છે. ઈમરાન ખાને માન્યું કે, સોવિયત સંઘમાં આતંકવાદ ફેલાવવા અલકાયદાને પાકિસ્તાન આર્મી અને ISI દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ન્યૂયોર્કમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અમેરિકામાં મીડિયા સાથે વાત કરતા કડવા પ્રશ્નોના જવાબ આપવા પડ્યા હતા. એક સવાલના જવાબમાં કહ્યું કે, 1980માં સોવિયત સંઘ સમયે અફઘાનિસ્તાનના મામલે પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો હતો. સોવિયત વિરુદ્ધ જિહાદ કરવા પાકિસ્તાની સેના અને ISI દ્વારા આતંકીઓને ટ્રેનિંગ અપાઈ હતી. જે પછી અલકાયદા બની ગયું હતું. 1989માં જ્યારે સોવિયત સંઘની સેનાએ અફઘાનિસ્તાન છોડી દીધુ પછી અમેરિકાની સેનાએ પણ અફઘાનિસ્તાન છોડી દીધુ હતું. જે બાદથી આ આતંકી સંગઠન પાકિસ્તાનમાં જ રહ્યા હતા. અને જ્યારે ન્યૂયોર્કમાં 9/11નો હુમલો થયો જે બાદ પાકિસ્તાનની સાથે અમેરિકા આવ્યું હતું. અને અમને નુકસાન થતું રહ્યું છે.
ઈમરાન ખાને ત્યાં સુધી સ્વીકાર્યું કે, પાકિસ્તાનની પહેલાની સરકારોએ તાલિબાનનો સાથ આપી દુનિયામાં આતંકને વધાર્યો છે. અમેરિકાના પૂર્વ રક્ષા પ્રધાન જેમ્સ મેટિસના એક કોમેન્ટનો જવાબ આપતા ઈમરાન ખાને કહ્યું કે, અમેરિકાના નેતાઓએ સમજવુ જોઈએ કે, પાકિસ્તાન કટ્ટરપંથી શા માટે બન્યું છે. ઈમરાને કહ્યું કે, અમારી ભૂલ હતી અમે અફઘાનિસ્તાની લડાઈમાં અમેરિકાનો સાથ આપ્યો. ઈમરાન ખાને કહ્યું કે, 11 સપ્ટેમ્બર 2001ના દિવસે અમેરિકામાં અલકાયદાના હુમલા પછી ચરમપંથી વિરુદ્ધ જંગમાં અમેરિકાનો સાથ આપવો પાકિસ્તાનની મોટી ભૂલ હતી.