કોરોનાના નિતીનિયમોનું પાલન નહી થતા, શીવરંજની-શ્યામલ ડી માર્ટ કરાયુ સીલ
અમદાવાદના શીવરંજની ઓવરબ્રિજથી શ્યામલ ચાર રસ્તા જવાના માર્ગ ઉપર આવતા ડી માર્ટમાં કોવીડ19ના નીતિ નિયમોનું પાલન નહી થતા, મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દિધુ છે. અમદાવાદમાં શુક્વારે રાત્રીથી સોમવાર સવાર સુધીના કરફ્યુની જાહેરાત થતા જ લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં લાગી ગયા છે. શીવરંજની ઓવરબ્રિજથી શ્યામલ તરફ જવાના માર્ગમાં આવતા ડી માર્ટમાં આજે સવારથી જ લોકોની […]
અમદાવાદના શીવરંજની ઓવરબ્રિજથી શ્યામલ ચાર રસ્તા જવાના માર્ગ ઉપર આવતા ડી માર્ટમાં કોવીડ19ના નીતિ નિયમોનું પાલન નહી થતા, મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દિધુ છે. અમદાવાદમાં શુક્વારે રાત્રીથી સોમવાર સવાર સુધીના કરફ્યુની જાહેરાત થતા જ લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં લાગી ગયા છે. શીવરંજની ઓવરબ્રિજથી શ્યામલ તરફ જવાના માર્ગમાં આવતા ડી માર્ટમાં આજે સવારથી જ લોકોની ભારે ભીડ હતી સવારે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું હતું. પરંતુ લોકોનો ધસારો વધતા સોશ્યલ ડીસ્ટન્સ જળવાયુ નહોતુ. એટલુ જ નહી ડી માર્ટની અંદર પણ ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. જેના પગલે, અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાળાઓએ ડીમાર્ટને સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જ ડિમાર્ટને કોવીડ19ના નિતી નિયમોનુ પાલન નહી થતા હોવાના મુદ્દે સીલ કરી દેવાયુ હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો