કોરોના સંક્રમણને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ, 15 ડિસેમ્બર બાદ નવી તારીખ નક્કી કરાશે
કોરોના મહામારીની સૌથી વધારે અસર શૈક્ષણિક વિભાગ પર પડી છે. હાલ જયારે કોરોનાને કારણે શાળા-કોલેજો બંધ છે. ત્યારે, કોરોનાના વધતા સંક્રમણને પગલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. અલગ અલગ ફેકલટીના ત્રીજા અને પાંચમા સેમેસ્ટરના 52 હજાર કરતા વધારે વિધાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ, ફરી વધી રહેલા કોરોના સંક્રમણને લઇને પરીક્ષા મોકુફ […]
કોરોના મહામારીની સૌથી વધારે અસર શૈક્ષણિક વિભાગ પર પડી છે. હાલ જયારે કોરોનાને કારણે શાળા-કોલેજો બંધ છે. ત્યારે, કોરોનાના વધતા સંક્રમણને પગલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. અલગ અલગ ફેકલટીના ત્રીજા અને પાંચમા સેમેસ્ટરના 52 હજાર કરતા વધારે વિધાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરંતુ, ફરી વધી રહેલા કોરોના સંક્રમણને લઇને પરીક્ષા મોકુફ રખાઇ છે. 15 ડિસેમ્બર બાદ પરિસ્થિતિના આધારે નવી તારીખ નક્કી કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો