રાજયમાં કોરોનાનો કેર યથાવત, કુલ 1204 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 12 દર્દીના મોત
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ 1204 કેસ નોંધાયા છે. તો સારવાર દરમિયાન વધુ 12 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 5 દર્દીઓના મોત થયા છે. તો સુરત શહેરમાં-2 જ્યારે આણંદ, મહેસાણા, નવસારી, રાજકોટ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 1,338 દર્દીઓને ડિસ્ચાર્જ કરી […]
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ 1204 કેસ નોંધાયા છે. તો સારવાર દરમિયાન વધુ 12 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 5 દર્દીઓના મોત થયા છે. તો સુરત શહેરમાં-2 જ્યારે આણંદ, મહેસાણા, નવસારી, રાજકોટ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 1,338 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં હજુ પણ 13,481 એક્ટીવ કેસ છે. જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 13,413 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 2 લાખ 8 હજાર 867 દર્દીઓ યોગ્ય સારવાર બાદ સાજા થયા છે. તો રાજ્યમાં 4,160 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
હવે વાત અમદાવાદ શહેરની કરીએ તો શહેરમાં કોરોનાના 260 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોર્પોરેશનની હદ વિસ્તારમાં 251 કેસ જ્યારે જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. તો સારવાર બાદ કોર્પોરેશનની હદ વિસ્તારમાં 257 દર્દી જ્યારે જિલ્લામાં 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે સારવાર દરમિયાન શહેરમાં વધુ 5 દર્દીઓના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો