ગેહલોત સરકારે આવતાની સાથે જ રમી નાખ્યો અનામતનો દાવ!
રાજસ્થાનમાં ગુર્જર સહિત પાંચ જાતિઓને 5 ટકા અનામત આપતું વિધેયક વિધાનસભામાં પારિત કરી દેવામાં આવ્યું છે. આ વિધેયકના લીધે હવે સરકારી નોકરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં અલગથી અનામત સૂચવેલી પાંચ જાતિઓને મળી શકશે. આ વિધેયક પર ગુર્જર નેતા કિરોડીમલ બૈસંલાએ કહ્યું કે પહેલાં પણ ચાર વખત અનામત આપતા વિધેયક પાસ કરી દેવામાં આવ્યાં છે. સરકાર દ્વારા […]
રાજસ્થાનમાં ગુર્જર સહિત પાંચ જાતિઓને 5 ટકા અનામત આપતું વિધેયક વિધાનસભામાં પારિત કરી દેવામાં આવ્યું છે. આ વિધેયકના લીધે હવે સરકારી નોકરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં અલગથી અનામત સૂચવેલી પાંચ જાતિઓને મળી શકશે.
આ વિધેયક પર ગુર્જર નેતા કિરોડીમલ બૈસંલાએ કહ્યું કે પહેલાં પણ ચાર વખત અનામત આપતા વિધેયક પાસ કરી દેવામાં આવ્યાં છે. સરકાર દ્વારા તૈયાર કરેલાં મુસદ્દાનો અભ્યાસ કર્યા બાદ તેમજ નોટિફિકેશન ગેઝેટ આવે ત્યારે જ અનામત આંદોલનને બંધ કરવા બાબતે ફેંસલો લેવામાં આવશે. હાલ તો આંદોલનને ચાલુ જ રાખવામાં આવશે.
વિધાનસભામાં કેબિનેટ મિનિસ્ટર બીડી કલ્લાએ આ વિધેયકને રજૂ કર્યું હતું. આ વિધેયકમાં બંજારા, ગુર્જર, રેબારી, ગડરિયા અને લોહાર જાતિઓને અનામત આપવાનું પ્રાવધાન છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે સંવિધાનમાં સંશોધન કર્યા વિના આ મુદ્દાનું સમાધાન શક્ય નથી. ઘણીવખત અનામત આપવામાં આવી પણ કોર્ટ દ્વારા તેને રદ કરી દેવામાં આવે છે. આમ રાજસ્થાનમાં કોંગ્રેસ ગેહલોતની સરકારે અનામતને લઈને રાતોરાત જ પોતાનો દાવ રમી નાખ્યો છે.
[yop_poll id=1389]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]