PM મોદીના સલાહકાર પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે JDU પાર્ટીમાંથી બહાર કર્યા
JDUએ પ્રશાંત કિશોર અને પવન વર્માને પાર્ટીમાંથી બહાર કરી દીધા છે. પ્રશાંત કિશોર પર પાર્ટી વિરોધી કામગીરીમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. નાગરિકતા કાનૂન પર પ્રશાંત કિશોરનો મત નીતિશ કુમારની પાર્ટીથી અલગ હતો. પીકે નાગરિકતા કાનૂન અને NRCના વિરોધમાં હતા. સાથે પોતાના ટ્વીટરથી સતત વિરોધ કરી રહ્યા હતા. જ્યારે JDU પાર્ટી આ કાનૂનને લઈ કેન્દ્ર […]
JDUએ પ્રશાંત કિશોર અને પવન વર્માને પાર્ટીમાંથી બહાર કરી દીધા છે. પ્રશાંત કિશોર પર પાર્ટી વિરોધી કામગીરીમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. નાગરિકતા કાનૂન પર પ્રશાંત કિશોરનો મત નીતિશ કુમારની પાર્ટીથી અલગ હતો. પીકે નાગરિકતા કાનૂન અને NRCના વિરોધમાં હતા. સાથે પોતાના ટ્વીટરથી સતત વિરોધ કરી રહ્યા હતા. જ્યારે JDU પાર્ટી આ કાનૂનને લઈ કેન્દ્ર સરકારના સમર્થનમાં છે.
આ પણ વાંચોઃ બાવળા નેશનલ હાઈવે પર બંધના એલાનનો ટાયર સળગાવી વિરોધ, વિરોધ કરનારા 21 કાર્યકરની અટકાયત
પ્રશાંત કિશોરને પાર્ટી બહાર કરવાના એક દિવસ પહેલા નીતિશ કુમારે કહ્યું હતું કે, પ્રશાંત કિશોરને જવું હોય તો જઈ શકે છે. પરંતુ જો પાર્ટીમાં રહેવું હશે તો નિયમમાં રહેવું પડશે. પાર્ટીમાંથી બહાર કાઢ્યા બાદ પ્રશાંત કિશોરે ટ્વીટ દ્વારા નીતિશ કુમારનો આભાર માન્યો હતો.
https://twitter.com/PrashantKishor/status/1222471146928345089?s=20
સાથે નીતિશ કુમારે કહ્યું હતું કે, JDUમાં પ્રશાંત કિશોરને અમિત શાહના કહેવા પર લાવવામાં આવ્યા હતા. જેના પર પ્રશાંત કિશોરે જવાબ આપીને કહ્યું કે, મને પાર્ટીમાં જોડવાના મુદ્દે નીતિશ કુમાર ખોટું બોલી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો