આ દિવસે પાકિસ્તાન અને ભારત વચ્ચે થશે છેલ્લું યુદ્ધ, પાકિસ્તાનના રેલ પ્રધાને કરી દીધો દાવો
જમ્મુ કાશ્મીરમાંથી 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનના મંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ નકામાં નિવેદન પર આવી ગયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને મંત્રીઓ વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યા છે. થોડી મિનિટ પહેલા પાકના રેલવે પ્રધાને તો યુદ્ધનો દાવો કરી દીધો છે. શેખ રશિદ અહમદે કહ્યું કે, આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે યુદ્ધ નિશ્ચિત છે. પાકિસ્તાનના મીડિયાના અહેવાલમાંથી સામે […]
જમ્મુ કાશ્મીરમાંથી 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનના મંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ નકામાં નિવેદન પર આવી ગયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને મંત્રીઓ વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યા છે. થોડી મિનિટ પહેલા પાકના રેલવે પ્રધાને તો યુદ્ધનો દાવો કરી દીધો છે. શેખ રશિદ અહમદે કહ્યું કે, આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે યુદ્ધ નિશ્ચિત છે. પાકિસ્તાનના મીડિયાના અહેવાલમાંથી સામે આવ્યું કે, કાશ્મીરની આઝાદીના અંતિમ સંઘર્ષનો સમય આવી ગયો છે. અને ભારત સાથેની આ છેલ્લી જંગ હશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ VIDEO: સુરતના ડિસ્કો રસ્તા પર એક રિક્ષા અચાનક જ પલટી મારી ગઈ, મારગ પર મોતની સવારી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લંડનમાં પાકિસ્તાનના આ પ્રધાનને માર પડ્યો છે. હાલમાં લંડનમાં રાજનૈતિક વિરોધીઓના હાથે શેખ રશિદ અહમદ માર ખાઈ ચૂક્યા છે. અને તેના પર ઈંડા ફેકાયા હતા.
આવામી મુસ્લિમ લીગના પ્રમુખ અને રેલ પ્રધાન શેખ રશીદ પર એ સમયે હુમલો કરાયો જ્યારે તે, લંડનની એક હોટલમાં યોજાઈ રહેલા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. શેખ રશીદ પર હુમલો કરનારા લોકો પણ ફરાર થઈ ગયા હતા. પાક પ્રધાને કહ્યું કે, કાશ્મીરનો નિર્ણય સ્થાનિક લોકો દ્વારા થશે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં નહીં. PM મોદીનું નામ લેતાની સાથે કહ્યું કે, કાશ્મીરની તબાહી તેના અંત સુધી પહોંચી છે. ભલે અન્ય ઈસ્લામિક રાષ્ટ્ર અમારી સાથે નથી. પણ અમારી સાથે ચીન જેવા મિત્રો છે.
[yop_poll id=”1″]