મોટો ખુલાસો : મસૂદ અઝહરે 9/11ના હુમલા બાદ ઓસામા બિન લાદેનને અફઘાનિસ્તાનમાંથી ભગાડી પાકિસ્તાનમાં ઘુસાડવા માટે ભારતને કર્યુ હતું લોહીલુહાણ

અલકાયદાનો સંસ્થાપક ઓસામા બિન લાદેન અને જૈશ એ મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર, બંને એક-બીજાના ગાઢ મિત્ર હતાં. ગુપ્તચર અહેવાલમાં આ ખુલાસો થયો છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, […]

મોટો ખુલાસો : મસૂદ અઝહરે 9/11ના હુમલા બાદ ઓસામા બિન લાદેનને અફઘાનિસ્તાનમાંથી ભગાડી પાકિસ્તાનમાં ઘુસાડવા માટે ભારતને કર્યુ હતું લોહીલુહાણ
Follow Us:
| Updated on: Mar 02, 2019 | 3:04 AM

અલકાયદાનો સંસ્થાપક ઓસામા બિન લાદેન અને જૈશ એ મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર, બંને એક-બીજાના ગાઢ મિત્ર હતાં. ગુપ્તચર અહેવાલમાં આ ખુલાસો થયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં 9/11ના હુમલા બાદ જૈશ એ મોહમ્મદે ભારત પર બે મોટા આતંકવાદી હુમલાનો પ્લાન ઘડ્યો હતો કે જેને અલકાયદાએ અંજામ આપ્યો હતો. અલકાયદાના 9/11ના હુમલાના ત્રણ અઠવાડિયા બાદ આ પ્લાનને અંજામ અપાયો હતો. ઑક્ટોબર-2001માં અલકાયદાની મદદથી જૈશે જમ્મુ-કાશ્મીર વિધાનસભા સંકુલ પર હુમલો કર્યો કે જેમાં 35 લોકો માર્યા ગયા. બે મહિના બાદ ડિસેમ્બર-2001માં જૈશના આતંકીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો કે જેમાં 9 લોકોના મોત થયા હતાં.

એક ટોચના ગુપ્તચર અધિકારીએ જણાવ્યું કે આ બંને હુમલાઓએ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઈ અને પાકિસ્તાને પોતાની અફઘાનિસ્તાન સાથે જોડાયેલી પશ્ચિમી બૉર્ડર પરથી પોતાની સેનાને વધુમાં વધુ ખસેડવાનું બહાનું મળી ગયું. પશ્ચિમી સરહદ પર પાકિસ્તાની સેના તોરા-બોરા પહાડીઓની નિગરાની કરી રહી હતી. પાકિસ્તાની સેનાની નિગરાની ઘટતા જ ઓસામા બિન લાદેનને અફઘાનિસ્તાનમાંથી ભાગીને પાકિસ્તાનમાં ઘુસવાની તક મળી ગઈ.

મસૂદ અને લાદેનની આ ઝેરી દોસ્તીના કારણે જ અમેરિકાને લાદેનને પકડી પાડવામાં 10 વર્ષ લાગી ગયા. અમેરિકન નેવી સીલે 2 મે, 2011ના રોજ એબટાબાદામાં સંતાઈને બેઠેલા લાદેનનો ખાત્મો કર્યો. એક ગુપ્તચર અધિકારીએ કહ્યું, ‘આ જૈશની ક્ષમતાની પ્રકૃતિ છે. સાથે જ આ દર્શાવે છે કે આ સંગઠનની અસર માત્ર ભારત પર જ નહીં, પણ વૈશ્વિક સલામતી અને શાંતિ સામે મોટો ખતરો છે.’

કંધાર વિમાન અપહરણ કાંડમાં પણ લાદેનનો હાથ હતો

1990માં થયેલા કંધાર વિમાન અપહરણ કાંડમાં પણ લાદેનના ભેજાએ કામ કર્યુ હતું. ભારતે મસૂદ સહિતના આતંકીઓ અપહરણકારોને સોંપ્યાના બાદ મસૂદે ઓસામા સાથે બહુ નજીક રહીને કામ કર્યું. કહેવાય છે કે જે રાત્રે મસૂદને ભારતે છોડ્યો, તે રાત્રે લાદેને તેના માટે પાર્ટી આપી હતી. મસૂદ ઘણા એવા પાકિસ્તાની મૌલાનાઓને જાણે છે કે જે બ્રિટિશ મસ્જિદો સુધી જેહાદને લઈ ગયાં. મસૂદ કથિત રીતે લંડનના હુમલામાઓમાં મદદ કરવા માટે ઘણા લોકોના સંપર્કમાં હતો. તેના દ્વારા ભરતી કરાયેલા બ્રિટિશ નાગરિક ઉમર શેખે ભારતમાં વર્ષ 1994માં 4 વિદેશી પર્યટકોનું અપહરણ કર્યુ હતું. ઉમરનો ઉદ્દેશ મસૂદને છોડાવવાનો હતો, પરંતુ ભારતીય સલામતી એજન્સીઓએ આ કાવતરું નિષ્ફળ બનાવ્યુ હતું. આ જ ઉમર શેખે પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરી હતી.

[yop_poll id=1913]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">