નોંધણા ગામે જર્જરિત દિવાલ ધરાશાયી થવાથી બે બાળકીઓના મોતની ઘટના, પાડોશીની સદોષ માનવવધના ગુનામાં ધરપકડ કરાઈ
27 ઓગષ્ટે જંબુસરના નોંધણા ગામે પાડોશીના મકાનની દિવાલ ધરાશાયી થવાથી બે બાળકોઓના મોતની ઘટનામાં પોલીસે ગુનાહિત બેદરકારી રાખનાર પાડોશી ઉપેન્દ્ર પટેલની સદોષ માનવ વધના ગુનામાં ધરપકડ કરી છે. જેને કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે સબજેલ ધકેલી દીધો હતો. નોંધણા ગામે ઉપેન્દ્ર પટેલના ઘરની જર્જરિત દિવાલ ઉપેન્દ્ર પરિવાર અને પાડોશીઓ માટે જોખમી હોવાની ગ્રામ પંચાયત દ્વારા […]
27 ઓગષ્ટે જંબુસરના નોંધણા ગામે પાડોશીના મકાનની દિવાલ ધરાશાયી થવાથી બે બાળકોઓના મોતની ઘટનામાં પોલીસે ગુનાહિત બેદરકારી રાખનાર પાડોશી ઉપેન્દ્ર પટેલની સદોષ માનવ વધના ગુનામાં ધરપકડ કરી છે. જેને કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે સબજેલ ધકેલી દીધો હતો. નોંધણા ગામે ઉપેન્દ્ર પટેલના ઘરની જર્જરિત દિવાલ ઉપેન્દ્ર પરિવાર અને પાડોશીઓ માટે જોખમી હોવાની ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપી દિવાલ ઉતારી લેવા જણાવ્યું હતું. પાડોશીઓની ફરિયાદ અને પંચાયતની નોટિસને ન ગણકારી જર્જરિત દિવાલ ઉતારવામાં આવી ન હતી. આ દિવાલ 17 ઓગષ્ટે વહેલી સવારે ધરાશાયી થઈ પાડોશી અર્જુન પરમારના ઘર ઉપર પડી હતી.
ઘટનામાં અર્જુનભાઈની બે દીકરીઓ હિના અને વિરાલી દબાઈ જવાથી મૃત્યુ પામી હતી. ઘટનામાં પ્રારંભે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં તપાસ બાદ નોટિસની અનદેખી ઘટનાનું કારણ બની હોવાનું સામે આવતા ઉપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ વિરુદ્ધ ઈપીકો કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. ઉપેન્દ્ર પટેલને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા તેને સબજેલ મોકલવા કોર્ટે હુકમ કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો