સરદાર સરોવર ડેમ થયો છલોછલ, બે વર્ષ સુધી ગુજરાતનું જળસંકટ થયું હળવું, જુઓ VIDEO
નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. ડેમમાં હાલ પાણીની સપાટી 138.08 મીટર પહોંચી છે, જેના કારણે ડેમના 23 દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા વરસાદ અને મધ્યપ્રદેશના ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે નર્મદા ડેમમાં એકત્રીત થઈ રહ્યું છે. હાલ ડેમમાં પાણીની સપાટી […]
નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. ડેમમાં હાલ પાણીની સપાટી 138.08 મીટર પહોંચી છે, જેના કારણે ડેમના 23 દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા વરસાદ અને મધ્યપ્રદેશના ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે નર્મદા ડેમમાં એકત્રીત થઈ રહ્યું છે. હાલ ડેમમાં પાણીની સપાટી મહત્તમ સ્તર પર પહોંચતા ડેમની આજુબાજુ આવેલા 175 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવાનું કહેવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં આ વખતે પાણીની પુષ્કળ આવક થઇ છે. ડેમ લગભગ છલોછલ ભરાઇ ગયો છે, જેથી બે વર્ષ સુધી ગુજરાતનું જળસંકટ હળવું થયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO