બબુઆથી નારાજ થયા બુઆ! ઉત્તર પ્રદેશમાં SP-BSPનું ગઠબંધન તૂટવાના સમાચાર કોઈપણ સમયે આવી શકે છે
ઉત્તર પ્રદેશમાં સપા અને બસપામાં ગઠબંધનની ગાંઠ છૂટી જવાની હોઈ તેવા સમાચાર સામે આવી રહ્યા છે. માયાવતીએ પોતાની પાર્ટીના તમામ અધ્યક્ષો સાથે બેઠક યોજી અને વિધાનસભાની તમામ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સાથે કહ્યું કે 50 ટકા વોટના લક્ષયાંક સાથે રાજનીતિ કરશે. તો EVMમાં ગરબડ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ પણ […]
ઉત્તર પ્રદેશમાં સપા અને બસપામાં ગઠબંધનની ગાંઠ છૂટી જવાની હોઈ તેવા સમાચાર સામે આવી રહ્યા છે. માયાવતીએ પોતાની પાર્ટીના તમામ અધ્યક્ષો સાથે બેઠક યોજી અને વિધાનસભાની તમામ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સાથે કહ્યું કે 50 ટકા વોટના લક્ષયાંક સાથે રાજનીતિ કરશે. તો EVMમાં ગરબડ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પોતાની પાર્ટીના કાર્યકરો વચ્ચે માયાવતીએ એક મોટું નિવેદન પણ કર્યું છે. માયવતીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનનું કોઈ પરિણામ આવ્યું નથી. માયાવતીએ દાવો કર્યો કે યાદવોના મત ટ્રાન્સફર થયા નહોતા. જેથી ગઠબંધન રાખવું કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે. તો માયાવતીએ ત્યાં સુધી પણ ટિપ્પણી આપી કે તે પોતાની પત્ની અને ભાઈને પણ લોકસભા જીતાડી શક્યા નહીં.
મહત્વનું છે કે 2012થી માયાવતીની પાર્ટીનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. તો 2014માં લોકસભાની એક પણ સીટ પર બસપા પોતાનું ખાતું ખોલી શકી નહોતી. જે બાદ 2017માં વિધાનસભા ચૂંટણીમાં બસપાને માત્ર 19 બેઠક પર જીત મળી હતી. અને જ્યારે 2019માં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ પણ માત્ર 10 લોકસભાની બેઠક જીતી શક્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]