કેરીની સીઝન શરૂ, વલસાડમાં હાઈવે પર સ્ટોલ લાગી ગયા, મહારાષ્ટ્રની હાફુસની આવક શરૂ

|

Mar 17, 2022 | 8:48 AM

હાલમાં કેરી વિક્રેતાનો ધંધો ઓછો છે કેમકે કેરીના ભાવ વધુ હોવાથી ઓછા ગ્રાહકો આવી રહ્યા છે, અત્યારે વિક્રેતાનો વેપાર ઓછો થઈ રહ્યો છે. અત્યારે કેરીનો ભાવ 800 થી લઈને 1500 રૂપિયા ડઝન ચાલી રહ્યો છે.

કેરીની સીઝન શરૂ, વલસાડમાં હાઈવે પર સ્ટોલ લાગી ગયા, મહારાષ્ટ્રની હાફુસની આવક શરૂ
કેરીની સીઝન શરૂ, વલસાડમાં હાઈવે પર સ્ટોલ લાગી ગયા

Follow us on

દરેક ગુજરાતીઓ માટે કેરી (Mango)  સૌથી વધુ પસંદ કરાતું ફળ છે. કેરીની સિઝનની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આવા કેરીના રસીકો માટે સારા સમાચાર છે. વલસાડ (Valsad) જિલ્લાના હાઈવે ઉપર ફળોના રાજ કેરીના સ્ટોલ લાગી ગયા છે.પરંતુ હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra) ની કેરીની ઊંચી કિંમત હોવાથી લોકોને કડવી લાગી રહી છે. દેવઘડ અને રત્નાગીરી ની આફૂસ કેરી બજારમાં તો આવી ગઈ છે.જોકે તેનો ભાવ આસમાને હોવાથી કેરીના શોખીનો માત્ર ચાખવા પુરતી જ ખરીદી રહ્યા છે.

વલસાડી આફૂસ દેશ અને દુનિયામાં પ્રખ્યાત કેરી છે અને તેની માંગ હંમેશા મજબુત રહે છે. આ કેરી ની અઢળક માંગ હોવા છતાં આમ આદમી પણ કેરી ખાઈ શકે એવી વ્યાજબી કિંમત હોય છે. જોકે વલસાડી આફૂસ માર્કેટમાં આવવાની વાર છે. ત્યારે એ પહેલા વલસાડના હાઈવે ઉપર મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવઘડ ની કેરી વેચાઈ રહી છે.જોકે આ કેરીના ભાવ હાલ આસમાને છે.જોકે તેમ છતાં કેરીનું નામ સાંભળીને કેરી રસિયાઓના મોઢામાં પાણી આવી જાય છે.જોકે કેરી મોંઘી હોવાથી મોટાભાગના લોકો માત્ર નામ પૂરતી કેરી ખરીદી રહ્યા છે.

હાલમાં કેરી વિક્રેતા નો ધંધો ઓછો છે કેમકે કેરીના ભાવ વધુ હોવાથી ઓછા ગ્રાહકો આવી રહ્યા છે.તો કેટલાક ગ્રાહકો ભાવ સંભાળીને જતા રહે છે.એમ વિક્રેતા નો વેપાર હાલમાં ઓછો થઈ રહ્યો છે.અત્યારે કેરીનો ભાવ 800 થી લઈને 1500 રૂપિયા ડઝન ચાલી રહ્યો છે. તો વલસાડી કેરી માર્કેટમાં આવ્યા બાદ આજ ડઝન નો ભાવ મણમાં બદલાઈ જશે.એટલે કે વલસાડી કેરી 1200 રૂપિયાની આજુ બાજુ એક મણ મળશે.

તમે 30 વર્ષના છો અને 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવા માગો છો, બસ કરો આ એક કામ
કાવ્યા મારનને લાગ્યો સૌથી મોટો ઝટકો, એક જ ઝાટકે 4000 કરોડ સ્વાહા
જે કામ સુનીલ ગાવસ્કર 30 વર્ષ સુધી ન કરી શક્યા તે હવે અજિંક્ય રહાણે કરશે
અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન

ત્યારે હવે રાહ જોવાઈ રહી છે વલસાડી આફૂસની, થોડા જ સમયમાં વલસાડી કેરી માર્કેટમાં આવશે તો માત્ર માલેતુજાર જ નહિ પણ દરેક વ્યક્તિ કેરીનો સ્વાદ માણી શકશે.વલસાડી કેરી નો સ્વાદ બીજી કેરી કરતા વધુ સારો અને ફળ પણ ભરાવદાર હોવા છતાં કેરીનો ભાવ સસ્તો હોય છે.જેથી માત્ર કેરી રસિયા જ નહિ પણ વેપારીઓ પણ સારો વેપાર કરે છે.

આ પણ વાંચોઃ ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ સર્વાનુમતે પસાર, રાજ્યમાં પોલીસ તંત્રની 1094 નવી જગ્યાઓ ઉભી કરાશે

આ પણ વાંચોઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા

Next Article