PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, જાણો CAA-NRC મામલે શું વાત થઈ?
મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે એક લાંબી સફર ભાજપ અને શિવસેના વચ્ચે હતી તેને આ વખતે સીએમ સીટને લઈને શિવસેનાએ છોડી દીધી છે. જો કે શુક્રવારના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપી […]
મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે એક લાંબી સફર ભાજપ અને શિવસેના વચ્ચે હતી તેને આ વખતે સીએમ સીટને લઈને શિવસેનાએ છોડી દીધી છે. જો કે શુક્રવારના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શું કહ્યું CM ઉદ્ધવ ઠાકરેએ? પીએમ મોદીની સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોની પરિષદમાં કહ્યું કે પીએમ સાથેની મુલાકાતમાં મેં સીએએ અને એનઆરસીની લઈને મારી દુવિધા રાખી હતી. એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું નથી. જે એનપીઆર આવી રહ્યું છે કે તે માત્ર વસ્તી ગણતરી માટે છે. મને કહેવામાં આવ્યું કોઈની નાગરિકતા નહીં લેવામાં આવે.
The Chief Minister of Maharashtra, Shri Uddhav Thackeray as well as Minister in the Maharashtra Government, Shri @AUThackeray called on PM @narendramodi. @OfficeofUT pic.twitter.com/YOmxsBCGO3
— PMO India (@PMOIndia) February 21, 2020
આ ઉપરાંત તેઓએ કહ્યું કે દેશમાં એક માહોલ બનાવવામાં આવ્યો છે કે મુસ્લમાન ખતરામાં છે. જે ખરેખર નથી. એનપીઆરથી કોઈને ખતરો નથી. જો અમને આ બાબતે કોઈ ખતરો લાગશે તો અમે ફરીથી વાત કરીશું. આ મુલાકાતની જાણકારી પીએમઓ ઓફિસના ટ્વીટર હેન્ડલથી પણ આપવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો