જો એલપીજી ગેસનો બાટલો ફાટે તો કંપનીએ આટલા લાખ રુપિયા વિમા પેટે ચૂકવવા પડે, જાણો કેવી રીતે?
ગેસ સિલિન્ડર ફાટવા અને ગેસ લીક થવાના કારણે એક મહિલાનું મોત થયું હતું. આ બાબતે ગ્રાહક અદાલતે એક મોટું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કંપનીએ 10 લાખ 46 હજાર રુપિયાનું વળતર ચૂકવવા કંપનીને આદેશ આપ્યો છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. […]
ગેસ સિલિન્ડર ફાટવા અને ગેસ લીક થવાના કારણે એક મહિલાનું મોત થયું હતું. આ બાબતે ગ્રાહક અદાલતે એક મોટું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કંપનીએ 10 લાખ 46 હજાર રુપિયાનું વળતર ચૂકવવા કંપનીને આદેશ આપ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: વિધાનસભા સત્રમાં અશાંત ધારા સુધારા વિધેયક બહુમતી સાથે પસાર
હાલ ભારતમાં એલપીજી કનેકશન મોટા ભાગના ઘરમાં પહોંચવા લાગ્યું છે. આ એલપીજી સિલિન્ડરના લીધે ઘણાં એવા મામલાઓ પણ સામે આવતા હોય છે જેના લીધે મોટી દૂર્ઘટના પણ થાય. એલપીજી સિલિન્ડરની વિવિધ સુરક્ષાને લઈને તો આપણે સજાગ હોઈએ જ છીએ પણ જો સિલિન્ડર ફાટે અને કોઈ મોટી જાનહાની થાય તો કંપની ગ્રાહકને વળતર ચૂકવવા બંધાયેલી છે આ વાતની જાણકારી આપણને ભાગ્યે જ હોય છે.
સરકારી વેબસાઈટ માયએલપીજીના અનુસાર એલપીજી કનેકશન લીધા બાદ ગ્રાહકના ઘરે કોઈ મોટી દૂર્ઘટના થાય તો તેના માટે ગ્રાહક 50 લાખ રુપિયા સુધીના વિમાનો હકદાર છે. આવી ઘટના સમયે આ જાણકારી તરત જ નજીકના પોલીસ સ્ટેશન અને એલપીજી ડિલરને આપવાની રહેતી હોય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ જો આવી દૂર્ઘટના થાય તો તેના માટે જે તે કંપની સિલિન્ડર આપે છે તે જવાબદાર છે. ખાસ કરીને કોઈના મોતમાં તો વળતર માટે દાદ માગી શકાય છે અને તે એક ગ્રાહકના અધિકારમાં આવે છે. આ વિમો સિલિન્ડર લેવાની સાથે જ આવે છે તેમાં અલગથી કોઈ જ પ્રકારનું પ્રિમિયમ આપવાની જરુર નથી. બસ આ ઘટનાને લઈને પૂરાવાઓ ક્યારેક માગવામાં આવતા હોય તે આપવા જરુરી છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]