જાણો 5 મોટા નેતા વિશે જે પણ જાહેરમાં ‘જૂતા કાંડ’નો ભોગ બન્યા છે!
ભાજપના એક પ્રવક્તા નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવાની ખબરથી સોશિયલ મીડિયામાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ પહેલી વખત નથી કોઈ નેતા પર જૂતું ફેંકવામાં આવ્યું હોય આ પહેલા ઘણાં દિગ્ગજો નેતા પર જૂતાં ફેંકવાની ઘટનાઓ બની છે. 1.અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ઘણીવખત મિર્ચ પાવડર સાથે જૂતું ફેકવાની ઘટનાઓ બની છે. એકવખત કેજરીવાલ દિલ્હીના […]
ભાજપના એક પ્રવક્તા નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવાની ખબરથી સોશિયલ મીડિયામાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ પહેલી વખત નથી કોઈ નેતા પર જૂતું ફેંકવામાં આવ્યું હોય આ પહેલા ઘણાં દિગ્ગજો નેતા પર જૂતાં ફેંકવાની ઘટનાઓ બની છે.
1.અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ઘણીવખત મિર્ચ પાવડર સાથે જૂતું ફેકવાની ઘટનાઓ બની છે. એકવખત કેજરીવાલ દિલ્હીના સચિવાલયથી લઈને પોતાની ચેમ્બર જઈ રહ્યાં હતા ત્યારે તેને પરથી મિર્ચ પાવડર ફેંકવામાં આવ્યો હતો. આ પહેલા પણ તેની ઉપર ઘણીવખત સ્યાહી ફેંકવામાં આવી હોય તેવી ઘટનાઓ બની છે.
2.રાહુલ ગાંધી
24 સપ્ટેમ્બર, 2016ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જૂતું ફેંકવાની ઘટના સામે આવી હતી. રાહુલ પર જ્યારે જૂતું ફેંકવામાં આવ્યું ત્યારે તેઓ સીતાપુર ખાતે એક રોડ-શૉ કરી રહ્યાં હતા.
3. પી. ચિદંબરમ
પી. ચિદંબરમ એક પ્રેસ કોન્ફરન્સ 2009ના વર્ષમાં કરી રહ્યાં હતા ત્યારે તેની પર જૂતું ફેકવામાં આવ્યું હતું. ભાગ્યે તેઓ બચી ગયા હતા અને જૂતું તેની બાજુમાંથી સરકીને નીકળી ગયું હતું. તપાસ બાદ એવું જાણવા મળ્યું કે જૂતું ફેંકનાર કોઈ પત્રકાર જ હતો.
4. મનમોહનસિંહ
મનમોહનસિંહ પર પણ ગુજરાતમાં એક વ્યક્તિ દ્વારા જૂતું ફેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મનમોહનસિંહ ભાષણ આપી રહ્યાં હતા ત્યારે જૂતું ફેંકવામાં આવ્યું હતું પણ તેને જૂતું લાગ્યું નહોતું.
5. નીતિન ગડકરી
પૂણેની રેલીમાં નીતિન ગડકરી પર એક વ્યક્તિએ જૂતું ફેકી દીધું હતું અને તેના લીધે હોબાળો મચી જવા પામ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ નશાની હાલતમાં હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]