Jio, Airtel, Vi રહે એલર્ટ પર, ભારત-પાક તણાવ વચ્ચે સરકારે જાહેર કર્યો નિર્દેશ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ તમામ ખાનગી અને સરકારી ટેલિકોમ કંપનીઓને આપત્તિ જેવી પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે

ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને, સરકારે Jio, Airtel જેવી તમામ ટેલિકોમ કંપનીઓને સતર્ક રહેવા, સંપૂર્ણપણે તૈયાર રહેવા અને કોઈપણ વિક્ષેપ વિના કનેક્ટિવિટી જાળવવા સૂચના આપી છે. સરકારે કહ્યું છે કે બદલાતી સુરક્ષા પરિસ્થિતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનમાં સંદેશાવ્યવહાર પ્રણાલીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, રાજ્ય અને જિલ્લા સ્તરે ટેલિકોમ સેવા કોઈપણ વિક્ષેપ વિના કાર્ય કરવી જોઈએ.
રિપોર્ટ અનુસાર, Airtel, Reliance Jio અને Vodafone Idea (Vi) ના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે 7 મેના રોજ એક બેઠકમાં, ટેલિકોમ વિભાગ (DoT) એ તમામ ટેલિકોમ કંપનીઓને જરૂરી સુરક્ષા પ્રથાઓ અને માર્ગદર્શિકા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ (SOPs)નું પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. તેઓ સાથે મળીને કામ કરશે જેથી સંદેશાવ્યવહાર સેવાઓ સરળ રહે.
કહ્યું – નેટવર્ક મજબૂત રાખો
સંચાર મંત્રાલયે એરટેલ, જિયો, BSNL અને વોડાફોન આઈડિયા જેવી બધી મોટી ટેલિકોમ કંપનીઓને એક થવા અને નેટવર્ક સેવાને સતત અને વિશ્વસનીય રાખવા કહ્યું છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં નેટવર્ક સેવાઓને મજબૂત બનાવવા માટે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી, ટેલિકોમ કંપનીઓને આવશ્યક માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓની અપડેટ કરેલી યાદી બનાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે.
સેવાઓ વિક્ષેપ વિના ચાલુ રહવી જોઈએ
આ કંપનીઓને તેમના ડીઝલ જનરેટર (ડીજી સેટ) માટે પૂરતું ડીઝલ સંગ્રહ કરવા પણ કહેવામાં આવ્યું છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ટેલિકોમ સેવાઓ વિક્ષેપ વિના ચાલુ રહે. આ ઉપરાંત, જરૂરી સાધનો સાથે રિપેર ટીમો અને રિઝર્વ ટીમોને પણ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવા કહેવામાં આવ્યું છે જેથી નેટવર્ક સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય.
સરકારે આ મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપી
- DoT એ ખાસ કરીને સરહદી જિલ્લાઓમાં ટેલિકોમ ઓપરેટરોને ખાતરી કરવા જણાવ્યું છે કે આ સેવાઓ કટોકટીની પરિસ્થિતિઓમાં ચાલુ રહે. તેમણે એમ પણ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિમીની અંદર મોબાઇલ બેઝ સ્ટેશન (BTS) ની સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે તેનુ ધ્યાન રાખવું.
- આ ઉપરાંત, ઓપરેટરોને ડીઝલ જનરેટર સેટ માટે પૂરતો ડીઝલ સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે જેથી વીજ પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે. સમારકામ ટીમો અને જરૂરી સ્પેરપાર્ટ્સને પણ વ્યૂહાત્મક રીતે તૈનાત કરવા કહેવામાં આવ્યું છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ટેલિકોમ સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય.
- સરકારે એમ પણ કહ્યું કે ટેલિકોમ ટીમોએ કટોકટીની સ્થિતિમાં રાજ્ય સરકારો સાથે સંકલન જાળવી રાખવું જોઈએ જેથી તેમની હિલચાલમાં કોઈ વિક્ષેપ ન આવે અને તેઓ ટેલિકોમ નેટવર્કને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લઈ શકે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.