ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે જખવાડા ગામમાં દારુંબંધી અંગે આપ્યું નિવેદન
ગુજરાતની સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ પહેલા મધ્ય પ્રદેશ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું પદ સંભાળનારા આનંદીબેન પટેલે સ્વીકાર્યુ કે, ગુજરાતમાં દારુ મળે છે. વિરમગામના જખવાડામાં પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનોને પૂછ્યું કે અહીં દારૂ મળે છે. ત્યારે આગેવાનોએ સ્વીકાર્યુ કે દારૂ મળે છે. તે સમયે આનંદીબેને દારૂ બંધ કરાવવાની ટકોર કરી. આ પણ […]
ગુજરાતની સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ પહેલા મધ્ય પ્રદેશ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું પદ સંભાળનારા આનંદીબેન પટેલે સ્વીકાર્યુ કે, ગુજરાતમાં દારુ મળે છે. વિરમગામના જખવાડામાં પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનોને પૂછ્યું કે અહીં દારૂ મળે છે. ત્યારે આગેવાનોએ સ્વીકાર્યુ કે દારૂ મળે છે. તે સમયે આનંદીબેને દારૂ બંધ કરાવવાની ટકોર કરી.
આ પણ વાંચોઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
આ ઉપરાંત યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. જખવાડા ગામના સંબોધન દરમ્યાન ભૂતકાળના સંસ્મરણો વાગોળતા આનંદીબેને કહ્યું કે, મુખ્યપ્રધાન હોય તો મોદી જેવા. અહીં આવેલા આનંદીબેનનું ગામમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે જ 500 કુમારીકાઓએ કળશ માથે મૂકીને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે રિબિન કાપીને ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમણે પલ્પ પોલિયો અભિયાનના ભાગ રૂપે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા અને વિધવા મહિલાઓને સહાય આપી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો