પાકિસ્તાનના કરાંચીમાં તાત્કાલિક ઉતારવુ પડ્યુ ભારતનું વિમાન, બે સપ્તાહમાં બની બીજી ઘટના

આજે વધુ એક ભારતીય ફ્લાઇટને પાકિસ્તાનના કરાચીના એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવી પડી હતી. ઈન્ડિગોનું આ પ્લેન શારજાહથી હૈદરાબાદ આવી રહ્યું હતું. ઉડાન દરમિયાન ઉંચાઈ પર જ પાયલોટને ફ્લાઈટમાં ટેકનિકલ ખામી હોવાની જાણ થઈ હતી.

પાકિસ્તાનના કરાંચીમાં તાત્કાલિક ઉતારવુ પડ્યુ ભારતનું વિમાન, બે સપ્તાહમાં બની બીજી ઘટના
ઈન્ડિગોની ફ્લાઈટનું કરાંચીમાં ઈમરજન્સી લેન્ડિંગImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 11:29 AM

આજે વધુ એક ભારતીય ફ્લાઇટને પાકિસ્તાનના કરાંચી (Karachi) ના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ  (Emergency Landing) રાવવી પડી હતી.. ઈન્ડિગો (Indigo)ની આ ફ્લાઈટ શારજાહથી હૈદરાબાદ આવી રહી હતું. આકાશની વચ્ચે ઉડાન દરમિયાન જ પાઇલટને ટેકનિકલ ખામી હોવાની જાણ થઈ હતી.. ત્યરાબાદ ત્વરીત નિર્ણય લઈ ફ્લાઈટને સુરક્ષિત રીતે કરાંચી ઍરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. પાયલોટ દ્વારા વિમાનમાં ટેકનિકલ ખામીની સૂચના મળતા જ ઈન્ડિંગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ ઍરપોર્ટ પર પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે. જેને પગલે એરલાઇન કંપની એક વિમાન કરાંચી મોકલવાની તૈયારી કરી રહી છે.

બે સપ્તાહમાં ઈમરજન્સી લેન્ડિંગની સતત બીજી ઘટના

બે સપ્તાહમાં કરાચી એરપોર્ટ પર ઉતરનાર આ બીજું ભારતીય વિમાન છે. અગાઉ 5 જુલાઈએ પણ સ્પાઈસ જેટનું એક વિમાન કરાચીમાં લેન્ડ થયું હતું. તેમાં પણ ટેકનિકલ ખામી સર્જાયા બાદ ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ફ્યુઅલ ઈન્ડિકેટરમાં ખામીને કારણે કરાચી ડાયવર્ટ કરવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઈન્ડિગો એરલાઈન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટના પાઈલટને વિમાનમાં ટેકનિકલ ખામી જણાયા પછી તકેદારીના ભાગરૂપે વિમાનને પાકિસ્તાનના કરાચી શહેર તરફ વાળવામાં આવ્યું હતું. મુસાફરોને હૈદરાબાદ લાવવા માટે વધારાની એક ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી રહી છે.

સ્પાઈસ જેટનું વિમાન પણ કરાચીમાં ઉતર્યું હતું

પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એન્જિનિયરોએ સ્પાઇસજેટના ક્રૂ મેમ્બરો સાથે ટેકનિકલ ખામી શોધવા અને તેને ઠીક કરવા માટે કામ કર્યું હતું. પ્લેનના લાઈટ ઈન્ડિકેટર મશીનરીમાં ખામી હતી, પરંતુ તેને તાત્કાલિક ઠીક કરી શકાયું ન હતું, તેથી મુસાફરોને દુબઈ લઈ જવા માટે અન્ય પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિમાનમાં લગભગ 150 મુસાફરો સવાર હતા, જેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્પાઈસજેટનું બીજું પ્લેન મુંબઈથી કરાચી મોકલવામાં આવ્યું હતું, જેમાંથી મુસાફરોને દુબઈ મોકલવામાં આવ્યા હતા.

અન્ય કેટલાક એરક્રાફ્ટમાં પણ સમસ્યા આવી હતી

તે જ સમયે, આ પહેલા પણ કેટલાક વિમાનોમાં ખામી સામે આવી છે. જૂલાઈની શરૂઆતમાં, બેંગકોકથી આવતી વિસ્તારાની ફ્લાઈટ દિલ્હી ઍરપોર્ટ પર આવ્યા બાદ તેનુ એક એન્જિન ખરાબ થઈ ગયુ હતુ. જો કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. વિસ્તારા એરલાઈને સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ એન્જિનમાં ઈન્ટીગ્રેટેડ ડ્રાઈવ જનરેટરમાં નાની ખામી સર્જાઈ હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">