મોદીના જિગરી દોસ્તથી જાની દુશ્મન બનેલા તોગડિયાનો મોદી વિશે સૌથી મોટો ખુલાસો ! જાણવા માટે CLICK કરો
વિશ્વ હિન્દૂ પરિષદ્ (વિહિપ)ના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચા વેચવા અંગેના ઇતિહાસ પર ટિપ્પણી કરી છે. વિહિપથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ્ (એએચપી) બનાવનાર તોગડિયાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું, ‘નરેન્દ્ર મોદી સાથે મારી મિત્રતા 43 વર્ષો સુધી રહી, પરંતુ મેં મોદીને ક્યારેય ચાય વેચતા ન જોયાં. […]
વિશ્વ હિન્દૂ પરિષદ્ (વિહિપ)ના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચા વેચવા અંગેના ઇતિહાસ પર ટિપ્પણી કરી છે.
વિહિપથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ્ (એએચપી) બનાવનાર તોગડિયાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું, ‘નરેન્દ્ર મોદી સાથે મારી મિત્રતા 43 વર્ષો સુધી રહી, પરંતુ મેં મોદીને ક્યારેય ચાય વેચતા ન જોયાં. નરેન્દ્ર મોદી ચા વેચનારની છબિ બનાવી પ્રજાની સહાનુભૂતિ મેળવવા માંગે છે.’
આ પણ વાંચો : ‘BATH TUB’માં શ્રીદેવીના થયેલા મોત પર બની રહી છે ફિલ્મ, જાણો કોણ બનશે શ્રીદેવી ? જુઓ TEASER
તોગડિયાએ રામ મંદિર વિશે કહ્યું કે પીએમ મોદી પોતે કહી ચુક્યા છે કે તેમની સરકાર વટહુકમ નહીં લાવે. હવે તો આરએસએસ નેતા ભૈયાજી જોશીએ પણ કહી દિધું કે આગામી પાંચ વર્ષ સુધી રામ મંદિર નહીં બનાવવામાં આવે. તોગડિયાએ આરોપ લગાવ્યો કે ભાજપ અને સંઘે 125 કરોડ ભારતીયોને અંધારામાં રાખ્યા, પણ હવે દેશનો હિન્દુ જાગી ગયો છે.
પ્રવીણ તોગડિયાએ 9 ફેબ્રુઆરીએ એક નવો રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ 9 ફેબ્રુઆરીએ પોતાના નવા પક્ષની જાહેરાત દિલ્હીમાં કરશે અને તેમનો પક્ષ ચૂંટણી જીતશે કે બીજા જ દિવસથી રામ મંદિર નિર્માણ શરુ થઈ જશે.
[yop_poll id=744]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]