AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : સવારનો ખોરાક સાંજ સુધી પચાવી શકતા નથી, તો પાચનશક્તિ વધારવા આ કરો ઉપાય

હુંફાળા પાણી પછી સવારે ઉઠ્યા પછી, બીજી વસ્તુ તમારે ઓછામાં ઓછી પાંચ વખત "સૂર્ય નમસ્કાર" કરવાની છે. સૂર્ય નમસ્કાર એ એક યોગ ટેકનિક છે, જે સવારે ઉઠ્યા પછી કરી શકાય છે, તમે તમારા પાચનતંત્રને યોગ્ય બનાવી શકો છો.

Health : સવારનો ખોરાક સાંજ સુધી પચાવી શકતા નથી, તો પાચનશક્તિ વધારવા આ કરો ઉપાય
How to improve digestive system
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:31 AM
Share

હાલના સમયમાં યુવાનોમાં ખોરાક (Food )પચવામાં(Digestion ) ન આવવો એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો કે આ સમસ્યા મોટી ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે, પરંતુ ખાણી-પીણીની ખરાબ આદતો અને બગડતી જીવનશૈલીના કારણે યુવાનોની પાચન શક્તિને ઘણી હદે અસર થઈ છે.

આ જ કારણ છે કે મોટાભાગના યુવાનો સ્વસ્થ નથી હોતા કારણ કે તેમનું પાચનતંત્ર ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે અને તેના કારણે તેઓ ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતા નથી અને જરૂરી પોષક તત્વો મેળવી શકતા નથી. આ આર્ટીકલમાં અમે તમને આવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમારી પાચનતંત્ર એક અઠવાડિયામાં જ ઠીક થઈ શકે છે. ચાલો જાણીએ આ ટિપ્સ કઈ છે.

1-ગરમ પાણી અને જીરું સવારે ઉઠીને સૌથી પહેલું કામ એ છે કે નવશેકા પાણી સાથે એક ચમચી જીરુંનું સેવન કરવું , જે તમે દિવસભરમાં લીધેલો ખોરાક પચવામાં મદદ કરશે અને તમારી પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરશે.

2-સૂર્ય નમસ્કાર હુંફાળા પાણી પછી સવારે ઉઠ્યા પછી, બીજી વસ્તુ તમારે ઓછામાં ઓછી પાંચ વખત “સૂર્ય નમસ્કાર” કરવાની છે. સૂર્ય નમસ્કાર એ એક યોગ ટેકનિક છે, જે સવારે ઉઠ્યા પછી કરી શકાય છે, તમે તમારા પાચનતંત્રને યોગ્ય બનાવી શકો છો.

3- 10 વાગ્યા પહેલા નાસ્તો કરો દરરોજનો નિયમ બનાવી લો કે સવારે ઉઠ્યા પછી દસ વાગ્યા પહેલા નાસ્તો કરી લેવો. સવારના નાસ્તામાં ઉપમા, પોહા, ઈડલી જેવો હળવો ખોરાક લો, જે પચવામાં ખૂબ જ સરળ હોય છે અને આરોગ્યપ્રદ પણ હોય છે. આમ કરવાથી તમારું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે . આ સિવાય દરરોજ નાસ્તો, લંચ અને ડિનર એક જ સમયે લો.

4-જમ્યાના 1 કલાક પહેલા પાણી પીવો તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને ધીમી પાચન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તમારે કોઈપણ પ્રકારના ભોજન પહેલાં એક ગ્લાસ પાણી પીવું જોઈએ. હા, એ પણ ધ્યાનમાં રાખો કે ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવો, પરંતુ એક કલાક પછી પીવો. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી ખોરાક પચતો નથી અને તમારી પાચનક્રિયા પણ બગડે છે.

5- સાંજે 7 વાગ્યા પહેલા ભોજન લો જો તમારું કામ એવું ન હોય કે જેમાં તમારે મોડી રાત સુધી જાગતા રહેવું પડે તો તમારે રાત્રે 7 વાગ્યા પહેલા જમી લેવું જોઈએ. આ સિવાય સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી અને એક ચમચી જીરું લો. એક અઠવાડિયા સુધી આ ટિપ્સ ફોલો કરવાથી તમે ફરક અનુભવવા લાગશો.

આ પણ વાંચો : Health : રણવીર સિંહે ફિલ્મ ’83માં જબરદસ્ત બોડી બનાવવા માટે આ ડાયેટ પ્લાનને ફોલો કર્યું હતું

આ પણ વાંચો : Women And Health: પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ત્રણ દિવસ સુધી કેમ વાળ ન ધોવા જોઈએ, જાણો કારણ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">