AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women And Health: પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ત્રણ દિવસ સુધી કેમ વાળ ન ધોવા જોઈએ, જાણો કારણ

પહેલાના સમયમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા. મહિલાઓના સ્વાસ્થ્યને લઈને આ નિયમો બનાવવામાં આવ્યા હતા. જોકે, આજની મહિલાઓ આ નિયમોમાં વિશ્વાસ નથી કરતી. અહીં જાણો શા માટે કહેવામાં આવે છે કે પીરિયડ્સ દરમિયાન ત્રણ દિવસ સુધી વાળ ન ધોવા જોઇએ.

Women And Health: પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ત્રણ દિવસ સુધી કેમ વાળ ન ધોવા જોઈએ, જાણો કારણ
Symbolic Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:33 PM
Share

દર મહિને મહિલાઓ (Women)ને પીરિયડ્સ (Periods) આવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. આમાં મહિલાઓના શરીરમાંથી અશુદ્ધ લોહી (Impure blood) નીકળે છે. પહેલાના સમયમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓને લઈને ઘણા પ્રકારના નિયમો બનાવવામાં આવતા હતા. આ નિયમોમાં એક નિયમ એવો પણ હતો કે મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન ત્રણ દિવસ સુધી વાળ ન ધોવા (Hair Wash) જોઈએ.

જો કે આજના આધુનિક સમયમાં લોકોને આ નિયમો અયોગ્ય લાગે છે, તેથી ઘણી સ્ત્રીઓ આ નિયમોનું પાલન કરતી નથી અને ગમે ત્યારે તેમના વાળ ધોઈ લે છે. પરંતુ તેની પાછળનું કારણ મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. જાણો આનું કારણ અને તેનાથી નુકસાન થવાનું શું જોખમ છે.

આ કારણથી વાળ ન ધોવા જોઈએ

પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે ઓપન બ્લીડિંગ થવુ ખૂબ જ જરૂરી છે, જેથી શરીરની અશુદ્ધિઓ સારી રીતે બહાર આવે. બ્લીડિંગ મુક્તપણે લાવવા માટે શરીર ગરમ હોવું જરૂરી છે. દરેક સ્ત્રી માટે પીરિયડ્સનું ચક્ર અલગ-અલગ હોય છે. કેટલાક લોકોને ત્રણ દિવસ, કેટલાકને પાંચ દિવસ અને કેટલાકને સાત દિવસ સુધી બ્લીડિંગ થાય છે. આ બધામાં પહેલા ત્રણ દિવસ ખૂબ જ ખાસ હોય છે. જો આ સમય દરમિયાન માથું ધોવામાં આવે તો શરીરનું તાપમાન ઘટી જાય છે અને આવી સ્થિતિમાં બ્લીડિંગ બરાબર થતું નથી અને મહિલા માટે ઘણી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

આ સમસ્યાઓનું જોખમ

જો પીરિયડ્સ સરખા ન આવે તો બાકીનું લોહી ગંઠાવાનું અને ગાંઠનું સ્વરૂપ લેવા લાગે છે. આ સ્થિતિમાં ઈન્ફેક્શન, પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. ઘણી વખત દવા દ્વારા પણ ગંઠાયેલા લોહીને દૂર કરી શકાતુ નથી, આવી સ્થિતિમાં DNC (Dilation and curettage) કરાવવાની નોબત આવી શકે છે. જો સમયસર આનું ધ્યાન રાખવામાં ન આવે તો આ લોહીની ગાંઠો કેન્સરનું રૂપ પણ લઈ શકે છે.

શું કરવું જોઈએ?

પીરિયડ્સ સારી રીતે આવે તે માટે પીરિયડ્સના છેલ્લા દિવસોમાં જ તમારે તમારુ માથું ધોવુ જોઈએ. ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી માથું બિલકુલ ન ધોવુ જોઈએ. તમે ત્રીજા દિવસે માથુ ધુઓ તો હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. આમ કરવાથી પીરિયડ્સ દરમિયાન થતી મુશ્કેલીઓ ઓછી થાય છે. તેનાથી લોહીનો પ્રવાહ સુધરે છે, સાથે જ દુખાવામાં પણ રાહત મળે છે અને પીરિયડ્સ દરમિયાન શરીરને પણ રાહત મળે છે.

આ પણ વાંચોઃ દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">