ગુજરાતમાં 24 કલાકમાં નોંંધાયા 549 નવા કોરોના કેસ, રાજ્યમાં કુલ 20 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 549 નવા કેસ નોંંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 604 વધુ દર્દીઓ છેલ્લાં 24 કલાકમાં સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 26 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના કુલ 3,34,326 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6,197 નોંધાઈ […]
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 549 નવા કેસ નોંંધાયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 604 વધુ દર્દીઓ છેલ્લાં 24 કલાકમાં સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 26 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના કુલ 3,34,326 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6,197 નોંધાઈ
ગુજરાતમાં કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય દર્દીની સંખ્યા 6,197 સુધી પહોંચી ગઈ છે. સરકારી આંકડા મુજબ 62 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6,135 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ કુલ 20521 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1711 થયો છે .
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો