AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ જનાર ગુજરાતીઓ માટે સારા સમાચાર ! ગુજરાતના આ શહેરમાંથી શરુ થશે બે સ્પેશિયલ ટ્રેન

ગુજરાતથી મુંબઈ જનાર મુસાફરો માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે જેમાં રેલવે વિભાગે મુસાફરો દ્વારા નવી બે ટ્રેન શરુ કરવામાં આવશે

મુંબઈ જનાર ગુજરાતીઓ માટે સારા સમાચાર !  ગુજરાતના આ શહેરમાંથી શરુ થશે બે સ્પેશિયલ ટ્રેન
બિકાનેર સ્પેશિયલ ટ્રેનનો રુટ લંબાવવામાં આવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 3:18 PM
Share

ગુજરાતથી મુંબઈ જનાર મુસાફરો માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે જેમાં રેલવે વિભાગે મુસાફરો દ્વારા નવી બે ટ્રેન શરુ કરવામાં આવશે. બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર બે ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તરીકે ચલાવવાનો નિર્ણય કર્યો છે.

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બાંદરા ટર્મિનસથી શુક્રવારે 27 મી જાન્યુઆરીના રોજ સવારે 9.15 વાગ્યે ઉપડશે અને રાતે 11.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન ભાવનગરથી પરત ગુરૂવારે 26 જાન્યુઆરીએ બપોરે 2.50 કલાકે ઉપડશે જે ટ્રેન શુક્રવાકરે સવારે 6 કલાકે બાંદરા ટર્મિનસ પહોંચશે.

આ પણ વાંચો : Kutch: 22 વર્ષ બાદ કંડલા પોર્ટ ઉપર ઓઈલ જેટીનું નિર્માણ, સાગરમાલા, ગતિશક્તિ જેવી યોજનાઓ હેઠળ બંદરોનો જેટ ગતિએ વિકાસ

બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશ્યલ ટ્રેન

બાંદરા ટર્મિનસ-ભૂજ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 25મી જાન્યુઆરી 2023ના દિવસથી શરુ કરવામાં આવશે. આ ટ્રેન બુધવારે સાંજે 7.25 વાગ્યે બાંદરા ટર્મિનલથી ઉપડશે અને ગુરુવારે 10.25 સવારે ભૂજ પહોંચશે. ભુજ સ્પેશ્યલ ટ્રેન શુક્રવારે 27 જાન્યુઆરી 2023ના રોજ ભૂજથી બપોરે 1.15 કલાકે ઉપડશે અને શનિવાર સવારે 4.15 વાગ્યે બાંદરા પહોંચશે.

ક્યાં સ્ટેશને ઉભી રહેશે ભુજ અને ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન

બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશ્યલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખ્યારી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે. તેમજ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટાયર, 3-ટાયર તેમજ સ્લીપર કોચ અને જનરલ કોચ પણ હશે. જ્યાં બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા જંક્શન, અમદાવાદ જંક્શન, સુરેન્દ્રનગર, બોટાદ, ધોળા, સોનગઢ અને ભાવનગર સ્ટેશન પર ઉભી રહેશે. તેમજ આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટાયર, 3-ટાયર તેમજ સ્લીપર કોચ અને જનરલ કોચ હશે.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ

ગુજરાતમાં, પ્રોજેક્ટ હેઠળ 25.28 કિમી વાયડક્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના તમામ 8 જિલ્લાઓ અને DNHમાંથી પસાર થતા ટ્રેક પરનું બાંધકામનું કામ પૂરા જોર શોરથી કામગીરી શરુ કરવામાં આવી છે.રેલવે મંત્રાલયે મુંબઈ- અમદાવાદ બુલેટ પ્રોજેકટ પર અપડેટ આપતા જણાવ્યું કે ગુજરાત સરકારની યોજના હેઠળ 25.28 વર્ગના વાયડકટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમા વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">