ગંભીરે એવું કહી દીધુ કે મારા પર લાગેલા આક્ષેપો સાચા સાબિત થશે તો હું જાહેરમાં પોતાની જાતને ફાંસીએ ચડાવી દઈશ, નહીંતર કેજરીવાલ આવુ કરશે?
ગંભીરે કહ્યું કે મારી પર લાગેલા આક્ષેપોને અરવિંદ કેજરીવાલ સાબિત કરી દેશે તો હું લોકોની વચ્ચે મારી જાતને ફાંસીએ ચડાવી દઈશ. અને જો કેજરીવાલ આરોપો સાબિત ન કરી શકે તો તેને રાજનીતિ છોડી દેવી જોઈએ દિલ્હીની 7 બેઠક પૈકી પૂર્વની સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી અને ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર ગૌતમ ગંભીર આમને […]
ગંભીરે કહ્યું કે મારી પર લાગેલા આક્ષેપોને અરવિંદ કેજરીવાલ સાબિત કરી દેશે તો હું લોકોની વચ્ચે મારી જાતને ફાંસીએ ચડાવી દઈશ. અને જો કેજરીવાલ આરોપો સાબિત ન કરી શકે તો તેને રાજનીતિ છોડી દેવી જોઈએ
દિલ્હીની 7 બેઠક પૈકી પૂર્વની સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી અને ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર ગૌતમ ગંભીર આમને સામને છે. પરંતુ જોવામાં આવે તો મતદાન પહેલા બંને ઉમેદવારો વચ્ચની જંગ કોર્ટના મામલા સુધી પહોંચી ગયો છે. ગંભીરે પોતાના એક ટવિટમાં જે વાતનો ઉલ્લેખ કર્યો છે તે પછી રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. ગંભીરે કહ્યું કે મારી પર લાગેલા આક્ષેપોને અરવિંદ કેજરીવાલ સાબિત કરી દેશે તો હું લોકોની વચ્ચે મારી જાતને ફાંસીએ ચડાવી દઈશ. અને જો કેજરીવાલ આરોપો સાબિત ન કરી શકે તો તેને રાજનીતિ છોડી દેવી જોઈએ.
સમગ્ર બાબત એવી છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી વિરુદ્ધ વાંધાજનક પેમ્પ્લેટ વહેચવાનો આક્ષેપ ગૌતમ ગંભીર પર લગાવવામાં આવી રહ્યો છે. આતિશીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા આ વાત કહી હતી. સાથે મનિષ સિસોદીયાએ કહ્યું કે તેમના ઉમેદવાર આતિશી વિરોધ ન્યૂઝ પેપર અભદ્ર ટિપ્પણીવાળા પેમ્પ્લેટ વહેચવામાં આવે છે.
પત્રકાર પરિષદ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓએ ગૌતમ ગંભીરે આક્ષેપો તો કરી દીધા છે. પરંતુ ગંભીરે પણ CM રૂપાણી, મનિષ સિસોદીયા વિરુદ્ધ માનહાનીનો દાવો કરી દીધો છે. સાથે વગર શરતે અરવિંદ કેજરીવાલ માફી માગે તેવી પણ વાત કહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]