AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAનું ભણેલી ધ્વનિ શાહ લેશે દીક્ષા, મોડાસામાં નીકળી વર્સીદાન શોભાયાત્રા

 આંકડાની માયાજાળમાંથી મોહ મુકીને મોડાસાની સીએ થયેલી જૈન યુવતીએ દીક્ષા અંગીકાર કરવાનો કઠોર નિર્ણય કર્યો છે. મોડાસા શહેરના ઇતિહાસમાં પ્રથમ વાર 28 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી મુમુક્ષ ધ્વનિ શાહના દીક્ષા અંગીકાર નિમિત્તે વર્સીદાન શોભાયાત્રા નીકળી હતી.  સમાજમાં લોકો અનેક જાતના મોહ માયા અને વૈભવની રચતામાં જીવન વિતાવતા હોય છે અને ઉચ્ચ અભ્યાસ કરી ઉચ્ચ પદવી મેળવી […]

CAનું ભણેલી ધ્વનિ શાહ લેશે દીક્ષા, મોડાસામાં નીકળી વર્સીદાન શોભાયાત્રા
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 06, 2019 | 4:21 PM
Share

 આંકડાની માયાજાળમાંથી મોહ મુકીને મોડાસાની સીએ થયેલી જૈન યુવતીએ દીક્ષા અંગીકાર કરવાનો કઠોર નિર્ણય કર્યો છે. મોડાસા શહેરના ઇતિહાસમાં પ્રથમ વાર 28 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી મુમુક્ષ ધ્વનિ શાહના દીક્ષા અંગીકાર નિમિત્તે વર્સીદાન શોભાયાત્રા નીકળી હતી.

 સમાજમાં લોકો અનેક જાતના મોહ માયા અને વૈભવની રચતામાં જીવન વિતાવતા હોય છે અને ઉચ્ચ અભ્યાસ કરી ઉચ્ચ પદવી મેળવી નોકરી કરી સારી નામના મેળવવાનું પસંદ કરતાં હોય છે ત્યારે આવી જ યુવતી ધ્વનીએ ચાર્ટડ એકાઉન્ટ નો અભ્યાસ કરીને આખરે આંકડાઓની માયાજાળને અલવિદા કહેવાનો કઠોર નિર્ણય કરીને સંસારની મોહ માયા છોડી દઇને દીક્ષા અંગીકાર કરવાનુ નક્કી કર્યુ છે. મોડાસા શહેરના જૈન સમાજ ની ધ્વનિ શાહ નાનપણ થી જ અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરી ચાર્ટર એકાઉન્ટન્ટ બની જૈન સંપ્રદાયના મહારાજશ્રી સાથે હંમેશા સત્યના માર્ગની શીખ લેતા લેતા આ સંસાર નર્ક સમાન લાગવા લાગ્યો. તેમના જૈન ધર્મ ના રીતિ રિવાજ મુજબ સંયમનો માર્ગ  અપનાવવાનું નક્કી કર્યું અને આગામી 10 માર્ચના રોજ સુરત ખાતે દીક્ષા અંગીકાર કરનાર છે અને તે અગાઉની પ્રક્રિયા મુજબ આજે મોડાસા શહેરના ઇતિહાસ માં પ્રથમ વખત જૈન દેરાસરથી વાજતે-ગાજતે વર્સીદાન શોભાયાત્રા નીકળી હતી.
ધ્વનિ શાહ કહે છે જીવન એક નર્ક સમાન હોવાનુ હુ માનું છું અને ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો દીક્ષા અંગીકાર કરીને ધાર્મીક રીતે સમાજની સાચા અર્થમાં સેવા કરી શકાય છે અને એ માટે કંઇક ત્યજવુ પડે અને એ માટે મે આ નિર્ણય કર્યો છે, આ નિર્ણય લેવા માટે મારા માતા પિતાનો પણ ખુબ આભાર માનુ છું.

TV9 Gujarati

દરેક માં બાપ ની એવી ઈચ્છા હોય કે પોતાનો દીકરી કે દિકરાને સારી રીતે ઉછેર કરી ઉચ્ચ અભ્યાસ કરાવી ને સારું જીવન જીવી શકે તે માટે નોકરી કે વ્યવસાય તરફ લઈ જવાની ખેવના રાખતા હોય છે તે મુજબ દીક્ષા અંગીકાર કરનાર 28 વર્ષીય ધ્વનિ શાહ ને તેના પિતા સમીર ભાઈએ સારો અભ્યાસ કરી ચાર્ટર એકાઉન્ટન્ટ બનાવી પરંતુ દીકરી ધ્વનિ એ જ્યારે આ સંસાર નો ત્યાગ કરી અને સમાજના ઉદ્ધાર માટે દીક્ષા લેવા માટે અને સંપ્રદાયના નિયમ પ્રમાણે પિતા પાસે પરવાનગી માગી ત્યારે ધ્વનિ ના પિતા એ પણ પોતાની વ્હાલસોયી દીકરીને દીક્ષા અંગીકાર કરવા પરવાનગી આપી હતી.
 
ધ્વનિના પિતા સમીરભાઈ કહે છે  અમે જૈન ધર્મી છીએ અને અમે મહારાજ સાહેબ સાથે હોઇએ ત્યારે અમને એને ખુશી ખુબ મળતી હતી અને એને જ્યારે આ ઇચ્છા હતી એ પ્રગટ કરી એટલે અમને પણ ખૂબ ખુશી છે અને એટલે જ અમે એને સહમતી આપી છે. જ્યારે ધ્વનિની માતા સુશીલાબેન કહે છે  દરેક દીકરી મોટી થાય ત્યારે એને આપણાથી છૂટી તો કરવી જ પડે છે પણ જ્યારે દીકરી ધર્મના માર્ગે જતી હોય ત્યારે અમને એની પણ ખુશી જ હોય.
ધ્વનિ ની માતા એ પણ જણાવ્યું હતું કે દીકરી ના લગ્ન કરાવી દરેક માતા પિતા સાસરે મોકલતા જ હોય છે ત્યારે મારી દીકરી એ સંયમ નો માર્ગ અપનાવવા નું પસંદ કર્યું છે તો તેની ખુશી માં જ અમારી ખુશી હોય અને મહારાજશ્રી સાથે હોય ત્યારે એ વધારે ખુશ હોય છે ત્યારે મેં પણ મારી દીકરી ને દીક્ષા અંગીકાર કરવા માટે પરવાનગી આપી છે.
[yop_poll id=1153]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">