દિલ્હી ચૂંટણી પરિણામ : જાણો ભાજપનું શાહીનબાગ પ્રદર્શન અંગેનું વલણ કેવું રહેશે?
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને એક તરફી જીત મળી છે. આ બાદ શાહીનબાગ વિશે પાર્ટીનું સ્ટેન્ડ કેવું રહેશે તે અંગે ભાજપના દિલ્હીના નેતા મનોજ તિવારીએ નિવેદન આપ્યું છે. પરિણામો પરથી જાણવા મળી રહ્યું છે ભાજપ દિલ્હીમાં સત્તામાં આવી શકે તેમ નથી. આ બાજુ કેજરીવાલને કોઈની સાથે હાથ મિલાવવાની પણ જરૂર નથી કારણ કે બહુમત કરતાં વધારે […]
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને એક તરફી જીત મળી છે. આ બાદ શાહીનબાગ વિશે પાર્ટીનું સ્ટેન્ડ કેવું રહેશે તે અંગે ભાજપના દિલ્હીના નેતા મનોજ તિવારીએ નિવેદન આપ્યું છે. પરિણામો પરથી જાણવા મળી રહ્યું છે ભાજપ દિલ્હીમાં સત્તામાં આવી શકે તેમ નથી. આ બાજુ કેજરીવાલને કોઈની સાથે હાથ મિલાવવાની પણ જરૂર નથી કારણ કે બહુમત કરતાં વધારે આંકડો આમ આદમી પાર્ટીને મળતો દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો : જાણો 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે
શાહીનબાદ ચૂંટણી પ્રચારમાં રહ્યો મોટો મુદો શાહીનબાગ ખાતે સતત બે મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ત્યાં મહિલાઓ 24 કલાક આંદોલન કરી રહી છે. ભાજપે આ આંદોલન આમ આદમી પાર્ટીનું કાવતરું ગણાવ્યું. શાહીનબાગ સતત દિલ્હી ચૂંટણીમાં રહ્યું છે અને તેના લીધે આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન થતું જોવા મળી રહ્યું નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હવે શાહીનબાગ મુદે શું રહેશે ભાજપનુ સ્ટેન્ડ? શાહીનબાદ મુદે મનોજ તિવારીએ નિવેદન આપતાં કહ્યું કે દિલ્હીમાં હવે બે પાર્ટીઓ વચ્ચે ટક્કર છે. કોંગ્રેસ પાર્ટી લુપ્ત થઈ ગયી છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે શાહીનબાગ ખાતેના પ્રદર્શનનો અમે ગઈકાલે પણ વિરોધ કરતાં હતા અને ભવિષ્યમાં કરતાં રહીશું. મનોજ તિવારીએ ચૂંટણી જીતવા બદલ જનતા જનાર્દનના નિર્ણયને સ્વીકારીને કેજરીવાલને અભિનંદન આપ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]