Delhi : રેસલર સુશિલ કુમાર ભૂગર્ભમાં ઊતરી ગયો, હત્યા કેસમાં દિલ્હી પોલીસે શરૂ કરી શોધખોળ

ઓલંપિક મેડલ વિજેતા પહેલવાન સુશિલ કુમાર (Wrestler Sushil Kumar) ને આ દિવસોમાં દિલ્હી પોલીસ (Delhi Police) શોધી રહી છે. એક પહેલવાનની હત્યાના મામલામાં પોલીસે હવે સુશિલને શોધવા માટે જોર લગાવ્યુ છે.

Delhi : રેસલર સુશિલ કુમાર ભૂગર્ભમાં ઊતરી ગયો, હત્યા કેસમાં દિલ્હી પોલીસે શરૂ કરી શોધખોળ
Wrestler Sushil Kumar
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 06, 2021 | 4:42 PM

ઓલંપિક મેડલ વિજેતા પહેલવાન સુશિલ કુમાર (Wrestler Sushil Kumar) ને આ દિવસોમાં દિલ્હી પોલીસ (Delhi Police) શોધી રહી છે. એક પહેલવાનની હત્યાના મામલામાં પોલીસે હવે સુશિલને શોધવા માટે જોર લગાવ્યુ છે. દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં આવેલા છત્રસાલ સ્ટેડિયમ (Chhatrasal Stadium) માં બે પહેલવાન જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. જેમાં પાંચ જેટલા પહેલવાનોને ઇજા પહોંચી હતી. જે તમામ ઇજાગ્રસ્ત પહેલવાનોને સ્થાનિક હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જે દરમ્યાન સારવાર હેઠળ રહેલા જહાં સાગર નામના એક પહેલવાનનુ મોત નિપજ્યુ હતુ.

દિલ્હી પોલીસે મોતના મામલાને લઇને ફરિયાદ દર્જ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ ના જણાવ્યાનુસાર આ જીવલેણ હુમલો પહેલવાર સુશિલ કુમાર, અજય સોનુ, સાગર, પ્રિન્સ અને અમિત સહિતના અનેક પહેલવાનો વચ્ચે થઇ હતી. જે દરમ્યાન પોલીસની પ્રાથમિક તપાસમાં સાક્ષીઓના નિવેદન બાદ એફઆઇઆરમાં પહેલવાન સુશીલ કુમારનુ પણ નામ ઉમેરવામાં આવ્યુ છે. જેને લઇને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિલ્હી પોલીસ દ્રારા સુશિલ કુમાર અને બાકીના આરોપીને પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ માટે અનેક સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યા છે. પોલીસના અધિકારીઓનુ કહેવુ છે કે, સુશિલ ના હાથ લાગવા બાદ જ તપાસમાં આગળ ખુલાસો થઇ શકે એમ છે. શરુઆતની તપાસમાં જ જાણકારી મળી છે કે, સાગર નામ નો પહેલવાન પોતાના મિત્રો સાથે છત્રસાલ સ્ટેડિયમની પાસે મોડલ ટાઉનમાં એક મકાનમાં જ રહેતો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તો વળી મળતી જાણકારી મુજબ તકરારનુ કારણ પણ પ્રોપર્ટી જ હોવાનુ માનવામાં આવે છે. તેના બાદ બંને જૂથો વચ્ચે ખૂબ મારપીટ પણ થઇ હતી અને ફાયરીંગ પણ કરવામા આવ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે થી એક કાર અને એક લોડેડ ડબલ બેરલ બંદુક પણ મેળવી છે. ઉલ્લેખનીય છે કે, પહેલવાનો ના જૂથો પર પ્રોપર્ટીને લઇને આ પહેલા પણ ઘર્ષણ સર્જવાના આરોપ લાગી ચુક્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">