કોંગ્રેસના વિશ્વાસું સામ પિત્રોડના વિવાદાસ્પદ બોલ, શું ખરેખર 300 આતંકીને ઠાર કરાયા છે કે માત્ર લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે?, મોદીએ પણ કર્યો વળતો પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક મનાતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા એ પુલવામા હુમલા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુંબઈમાં પણ હુમલો થયો હતો તેમજ પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાન પર આરોપ મૂકવો યોગ્ય નથી. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ટેક્નોક્રેટ અને કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.પાકિસ્તાન […]
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક મનાતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા એ પુલવામા હુમલા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુંબઈમાં પણ હુમલો થયો હતો તેમજ પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાન પર આરોપ મૂકવો યોગ્ય નથી.
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ટેક્નોક્રેટ અને કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને લઇ સામ પિત્રોડાએ કેટલાક સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે 26/11 મુંબઇમાં આઠ લોકોએ હુમલો કર્યો હતો જેથી આ હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ન ગણી શકાય.
Attacks like Pulwama happen all the time, wrong to attack Pakistan: Rahul Gandhi aide Sam Pitroda#TV9News pic.twitter.com/WQ2YjKSzzk
— Tv9 Gujarati (@tv9gujarati) March 22, 2019
તેમણે ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકને લઇને પણ સવાલ ઉઠાવ્યો અને સરકાર પર આરોપ મુકતા કહ્યું કે, શું ખરેખર 300 આતંકીને ઠાર કરાયા છે કે માત્ર લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે કારણ કે આતંરરાષ્ટ્રીય મીડિયાએ કોઇ જાનહાનિ થઇ હોય તેવા અહેવાલ આપ્યા નથી.
PM Narendra Modi: Opposition insults our forces time and again.I appeal to my fellow Indians- question Opposition leaders on their statements.Tell them- 130 crore Indians will not forgive or forget the Opposition for their antics. India stands firmly with our forces.#TV9News pic.twitter.com/NtChUln5fR
— Tv9 Gujarati (@tv9gujarati) March 22, 2019
સામ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી. મોદીએ લખ્યું કે, વિપક્ષે આપણી સેનાનું ફરીથી અપમાન કર્યું છે. હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે વિપક્ષના નેતાઓના નિવેદન પર સવાલ પૂછો. તેમને કહો કે 130 કરોડ ભારતીયો વિપક્ષના અસંગતતાને માફ નહીં કરે. ભારત સેનાની સાથે ખભેથી ખભા મેળવીને ઊભો છે.
ગયા મહિને 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા અને આ મોટા હુમલા બાદ દેશમાં ઘણો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સરકાર પર દબાણ હતું કે તેના પર પોતાનો જવાબ આપે. બાદમાં ભારતીય સેના એ પાકિસ્તાનનની સરહદમાં બાલાકોટમાં ઘૂસી જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]