કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલની દફન વિધિ સવારે ૧૦ કલાકે, મૂળ ગામ પીરામણ ખાતે પરિવારજનોની હાજરીમાં દફન વિધિ કરાશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. એક મહિના જેટલા સમયથી તે કોરોનાથી પીડાઈ રહ્યા હતા તેમની સારવાર દિલ્હી ખાતે ચાલી રહી હતી જે બાદ આજે તેમનું નિધન થતા કોંગ્રેસ સહીત તમામ રાજકીય પાર્ટીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. દિલ્હીથી તેમનો નશ્વર દેહ વડોદરા પોહચશે અને સવારે તેમના […]
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. એક મહિના જેટલા સમયથી તે કોરોનાથી પીડાઈ રહ્યા હતા તેમની સારવાર દિલ્હી ખાતે ચાલી રહી હતી જે બાદ આજે તેમનું નિધન થતા કોંગ્રેસ સહીત તમામ રાજકીય પાર્ટીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. દિલ્હીથી તેમનો નશ્વર દેહ વડોદરા પોહચશે અને સવારે તેમના વતન પીરામણ ગામ ખાતે દફન વિધિ કરવામાં આવશે. જણાવવું રહ્યું કે તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમની દફન વિધિ તેમના માતા પિતાની કબર પાસે જ કરવામાં આવે તેમ હોવાથી ખાસ પરમીશન સાથે તેમની દફન વિધિ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો