VIDEO: મા અંબાના જયઘોષ સાથે નીકળ્યા સંઘ, CM રૂપાણીએ ભાદરવી પૂનમના મેળાનો કરાવ્યો પ્રારંભ
ગુજરાતના પ્રમુખ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મેળાનો શુભારંભ કરાવામાં આવ્યો છે. મહત્વનું છે કે વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ વહેલી સવારે મંગળા આરતીના દર્શન કર્યા હતા. આ પણ વાંચો: જામનગર: જોડિયામાં 4 ઈંચ વરસાદ, જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ VIDEO Web […]
ગુજરાતના પ્રમુખ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મેળાનો શુભારંભ કરાવામાં આવ્યો છે. મહત્વનું છે કે વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ વહેલી સવારે મંગળા આરતીના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો: જામનગર: જોડિયામાં 4 ઈંચ વરસાદ, જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ VIDEO
અને રાજ્યના વિકાસ અને દેશની સુરક્ષાને લઈ મા જગત જનની સામે પ્રાર્થના કરી હતી. ભાદરવી પૂનમના જગ વિખ્યાત આ મેળામાં અંદાજે 25 લાખથી વધુ માઈભક્તો માતાના દર્શન કરે છે અને મેળાની મુલાકાત લે છે. જેની તકેદારીના ભાગ રૂપે વહિવટીતંત્રએ પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરી છે. તો આયોજકો દ્વારા પણ પદયાત્રીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો