નીતિશ સરકારનો નિર્ણય: બિહારમાં NRCને “NO ENTRY”, NPRમાં પણ કર્યો આ મોટો બદલાવ
ભાજપની સાથે ગઠબંધનની સરકાર હોવા છતાં નીતિશ કુમારે બિહારમાં એનઆરસી લાગુ નહીં કરવામાં આવે તેવો પ્રસ્તાવ પારિત કરી દીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે કેન્દ્રની ભાજપ સરકારને પત્ર લખ્યો છે કે તેઓ એનપીઆરના ફોર્મમાં અમુક બાબતો જે વિવાદાસ્પદ છે તેને બદલવામાં આવે છે. બિહારના સદનમાં ભારે હંગામો જોવા મળ્યો હતો અને ત્યાં નીતિશ કુમાર -તેજસ્વી […]
ભાજપની સાથે ગઠબંધનની સરકાર હોવા છતાં નીતિશ કુમારે બિહારમાં એનઆરસી લાગુ નહીં કરવામાં આવે તેવો પ્રસ્તાવ પારિત કરી દીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે કેન્દ્રની ભાજપ સરકારને પત્ર લખ્યો છે કે તેઓ એનપીઆરના ફોર્મમાં અમુક બાબતો જે વિવાદાસ્પદ છે તેને બદલવામાં આવે છે. બિહારના સદનમાં ભારે હંગામો જોવા મળ્યો હતો અને ત્યાં નીતિશ કુમાર -તેજસ્વી સામસામે આવી ગયા હતા. આ ઉપરાંત દલીલ કરી રહેલાં તેજસ્વીને નીતિશ કુમારે સંભળાવી દીધું કે તમારે કશું જ બોલવાનો અધિકાર નથી. મારી સામે ફક્ત તમારા પિતા જ બોલી શકે છે.
આ પણ વાંચો : સાંભળો સરકાર, ખેડૂતોની પોકાર! બજેટમાં શું છે ગુજરાતના ખેડૂતોની આશા?
એનપીઆરને લઈને પણ સુધારો નવી સરકારે જે એનપીઆરનું ફોર્મેટ નક્કી કર્યું છે તેને બિહારમાં લાગુ નહીં કરવામાં આવે. 2010ના ફોર્મેટને જ બિહારમાં લાગુ કરવામાં આવશે તેવી બાહેંધરી નીતિશ કુમારની સરકાર દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારની સરકારના અમુક નેતાઓએ પણ એનપીઆર, સીએએ અને એનઆરસીને લઈને પાર્ટીમાંથી રાજનામું આપી દીધું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ નીતિશ કુમારની સરકારે વિધાનસભામાં પ્રસ્તાવ પારિત કરીને એનઆરસી લાગુ નહીં થાય તેવી જાહેરાત કરી દીધી છે તો આ બાજુ એનપીઆરને લઈને વિવાદાસ્પદ ક્લોઝ હટાવીને જૂના 2010ના ફોર્મેટને લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભાજપની હાર થઈ છે અને હવે બિહારમાં ચૂંટણી આવી રહી છે. જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]