CBIએ DMને ત્યાં રેડ પાડી અને પછી એવી પરિસ્થિતિ સર્જાઈ કે 1 કલાકમાં જ નોટ ગણવાનું મશીન મગાવવું પડ્યું!
ગેર કાનૂની ખનીજ ચોરીના મામલે સીબીઆઈની ટીમે યુપીના બુલંદશહેરમાં દરોડા પાડ્યા છે. એક એવી પણ જાણકારી મળી રહી છે આ છાપા માર્યા બાદ સીબાઆઈના અધિકારીઓએ નોટો ગણવાની મશીન મગાવવાની જરુર પડી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ […]
ગેર કાનૂની ખનીજ ચોરીના મામલે સીબીઆઈની ટીમે યુપીના બુલંદશહેરમાં દરોડા પાડ્યા છે. એક એવી પણ જાણકારી મળી રહી છે આ છાપા માર્યા બાદ સીબાઆઈના અધિકારીઓએ નોટો ગણવાની મશીન મગાવવાની જરુર પડી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજ્યના લાખો પેનશનર્સને હાઇકોર્ટની રાહત, સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેંશનર્સને મળશે
ગેર કાનૂની રીતે ખનીજ ચોરીના કેસમાં સીબીઆઈએ વિશેષ કાર્યવાહી કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ડીએમ અભય સિંહના ત્યાં રેડ મારવામાં આવી છે. ડીએમના સરકારી આવાસ પર છાપો મારવામાં આવ્યો છે અને એક કલાક બાદ સતત તલાશી લીધા બાદ અધિકારીઓએ નોટ ગણવાની મશીન મગાવ્યું છે.
બુલંદશહેરમાં ડીએમ પર કાર્યવાહીનો આ પ્રથમ કિસ્સો નથી કારણ કે પહેલાં ડીએમ રહી ચૂકેલાં બી. ચંદ્રકલા પર પણ સીબીઆઈના અધિકારીઓેએ તપાસ આદરી હતી. સીબીઆઈએ ગેર કાનૂની ખનનને લઈને ડીએમની સંડોવણી હોવાના શક પર આ રેડ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પહેલાં પણ સીબીઆઈ દ્વારા છાપેમારી કરાઈ છે જેમાં ઉત્તરપ્રદેશની સાથે 19 રાજ્યોમાં કાર્યવાહી કરાઈ છે. 119 જગ્યાઓ પર સઘન તપાસ આદરવામાં આવી રહી છે. માયાવતીના નજીકના આઈઈએસ અધિકારીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી છે. 19 જેટલી ફરીયાદ પણ સીબીઆઈએ કરી છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]