સાવધાન ઈન્ડિયા! કોરોના વાઈરસને લઈને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
ભારત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને એડવાઝરી જાહેર કરેલ છે તેની વિગતો જાણીએ. 1. તા.03-03-2020 પહેલા ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર જો ભારતનો પ્રવાસ કરવામાં આવેલ ન હોય તો તેઓના જૂના વિઝા કેન્સલ થશે અમે તેઓએ ફરીથી વિઝા લેવા પડશે. 2. તા.05-02-2020 પહેલા ચીનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર […]
ભારત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને એડવાઝરી જાહેર કરેલ છે તેની વિગતો જાણીએ.
1. તા.03-03-2020 પહેલા ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર જો ભારતનો પ્રવાસ કરવામાં આવેલ ન હોય તો તેઓના જૂના વિઝા કેન્સલ થશે અમે તેઓએ ફરીથી વિઝા લેવા પડશે.
2. તા.05-02-2020 પહેલા ચીનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર જો ભારતનો પ્રવાસ કરવામાં આવેલ ન હોય તો તેઓના જૂના વિઝા કેન્સલ થશે અમે તેઓએ ફરીથી વિઝા લેવા પડશે.
3. તા.01-02-2020 પહેલા ચીન, ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર જો ભારતનો પ્રવાસ કરવામાં આવેલ ન હોય તો તેઓના જૂના વિઝા કેન્સલ થશે અમે તેઓએ ફરીથી વિઝા લેવા પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
4. બધી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના પ્રવાસીઓ કે જે ભારતમાં પ્રવેશ કરશે તેમને સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ અને ટ્રાવેલ હિસ્ટ્રી હેલ્થ અધિકારી અને ઇમિગ્રેશન અધિકારીને આપવી પડશે.
5. જે પ્રવાસીઓ ડાઇરેક્ટ કે ઇનડાઇરેક્ટ ચીન, ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા, જાપાન, હોંગકોંગ, મકાઉ, વિએતનામ, મલેશીયા, ઇંડોનેશિયા, નેપાળ, થાઈલેન્ડ, સિંગાપોર અને તાઈવાનથી ભારતમાં પ્રવેશ કરશે તેઓએ મેડિકલ ચેક-અપ ફરજીયાત કરાવવું પડશે.
6. ભારતીય નાગરીકોને અપીલ છે કે ચીન, ઈટલી, ઈરાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ ન કરવો. આ ઉપરાંત કોરોના વાઈરસથી પ્રભાવિત અન્ય દેશોનો પણ પ્રવાસ ન કરવા સૂચન છે.
શું કરવું:
1. વ્યક્તિગત સ્વચ્છતાનું અવલોકન કરવું
2. વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ
3. શરદી-ઉધરસ હોય તો મો પર માસ્ક પહેરવું જોઈએ
4. જ્યારે હાથ ગંદા દેખાતા હોય ત્યારે વહેતા પાણીમાં સાબુથી હાથ ધોવા જોઈએ
5. ટીશ્યુ પેપેરનો ઉપયોગ કર્યા બાદ તેને બંધ કચરાપેટીમાં ફેંકવું જોઈએ
6. તબિયત નાદુરસ્ત જણાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!
શું ન કરવું:
1. શરદી અને તાવ હોય તો તે વ્યક્તિએ અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળવું
2. જાહેરમાં થૂંકવું નહી
3. પાલતું પશુ-પક્ષી કે પ્રાણીઓ સાથે વધારે સંપર્કમાં ન રહો
4. ખોરાકમાં ઉપયોગમાં લેવાતા પશુ કે પ્રાણીઓના બજારમાં જવાનું ટાળો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]