મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહેનત યથાવત્, પરિણામ માટે કરવો પડશે આટલો ઈન્તઝાર
સરકાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં મહેનત તો ચાલી રહી છે પરંતુ પરિણામ આવતું નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અને NCP સાથે કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જે બાદ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના ધારાસભ્યોને મળવા માટે હોટલ રિટ્રિટ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની મુલાકાત બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં મુલાકાત અંગે માહિતી […]
સરકાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં મહેનત તો ચાલી રહી છે પરંતુ પરિણામ આવતું નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અને NCP સાથે કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જે બાદ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના ધારાસભ્યોને મળવા માટે હોટલ રિટ્રિટ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની મુલાકાત બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં મુલાકાત અંગે માહિતી આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ શાસન નડતરરૂપ નથી. બસ સમય સાથે ધીરજતા રાખવાની જરૂર છે. રાજ્યમાં શિવસેનાની સરકાર બનાવવામાં કોઈ રોક લાવી શકે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, આગામી 5 દિવસોમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ગામડાઓમાં પહોંચવાના છે. જ્યાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના નુકસાનનું નિરીક્ષણ કરશે. સાથે જણાવ્યું કે, તેઓ આ મુદ્દાને ઝડપથી નિવારણ લાવી દેશે.