VIDEO: અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત
અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અને અયોધ્યાની કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર અયોધ્યામાં RAFની 6 કંપની અને અર્ધસૈનિક દળની 12 કંપની તૈનાત કરવામાં આવી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા […]
અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અને અયોધ્યાની કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર અયોધ્યામાં RAFની 6 કંપની અને અર્ધસૈનિક દળની 12 કંપની તૈનાત કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સિવાય 1200 પોલીસ જવાનો, 250 PSI, 150 PI, 20 DSP તથા 11 SSP સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે અત્યારથી જ અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અને જિલ્લામાં પ્રથમવાર 8 જેટલી અસ્થાઇ જેલ બનાવામાં આવી છે.
તો બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરની ફેંસલા પહેલા CJI રંજન ગોગોઇએ ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ અને DGPને દિલ્લી બોલાવ્યા છે. જ્યાં બપોરે 12 કલાકે ચુકાદો અને ત્યારબાદની સ્થિતિ મુદ્દે સમીક્ષા બેઠક યોજાશે. મહત્વનું છે કે, 1990 બાદ પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદે પથ્થરની કોતરણી બંધ કરી છે. આમ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આયોધ્યામાં રામ મંદિરના ચુકાદાની રાહ જોવાઇ રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો