ઓટોમોબાઈલ કંપનીમાં 19 વર્ષ બાદ મંદીનું વાતાવરણ, જાણો કયા કારણો જવાબદાર હોઈ શકે છે
છેલ્લા કેટલાક વર્ષથી ભારતની ઓટોમોબાઈલ કંપનીમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. અને હવે આ મંદી રેકોર્ડ લેવલ સુધી પહોંચી ગયું છે. દેશની ઓટો ઈન્ડસ્ટ્રીમાં આશરે 2 દાયકા બાદ વાહનોના વેચાણમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 30.98% ટકાનું વેચાણ ઘટ્યું છે. ગત વર્ષમાં 2,90,391 યુનિટ કારની બરાબરીમાં આ મહિને 2,00,790 વાહનોનું વેચાણ થયું છે. […]
છેલ્લા કેટલાક વર્ષથી ભારતની ઓટોમોબાઈલ કંપનીમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. અને હવે આ મંદી રેકોર્ડ લેવલ સુધી પહોંચી ગયું છે. દેશની ઓટો ઈન્ડસ્ટ્રીમાં આશરે 2 દાયકા બાદ વાહનોના વેચાણમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 30.98% ટકાનું વેચાણ ઘટ્યું છે. ગત વર્ષમાં 2,90,391 યુનિટ કારની બરાબરીમાં આ મહિને 2,00,790 વાહનોનું વેચાણ થયું છે. જુલાઈ 2018માં 79,063 યુનિટની બરાબરીમાં જુલાઈ 2019માં યુટિલીટી વાહનનું વેચાણ માત્ર 67,030 જેટલુ થયું છે. જેમાં 15.22 ટકાનો ઘટાડો નોંધાયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઓટો મોબાઈલમાં મંદીના કારણો શું હોઈ શકે
જોવામાં આવે તો વિદેશી કંપનીઓ સામે સ્થાનિક કંપનીઓને નુકસાન ઈ-વાહન પણ માર્કેટમાં આવતા ડિઝલ-પેટ્રોલની કારના વેચાણમાં ઘટાડો સરકાર દ્વારા મેટ્રો, BRTS જેવી સુવિધાનો લોકો વધુ લાભ ઉઠાવી રહ્યા છે ફોરવ્હીલની જગ્યાએ લોકો ટુ-વ્હિલ ખરીદી કરે છે, તો લાંબા રૂટ પર જવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધ્યો ડિઝલ અને પેટ્રોલના ભાવના કારણે પણ ઓટોમોબાઈલ ક્ષેત્રને થોડીઘણી અસર થઈ છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દેશની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં આશરે 19 વર્ષ પછી આટલી મોટી મંદી જોવા મળી છે. વર્ષ 2000માં વાહનોના વેચાણાં ઘટાડો નોંધાયો હતો. અને ત્યારે 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અને પેરેંજર કારના વેચાણમાં 39.86 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં એક તરફ મંદીનો માહોલ ચાલી રહ્યો છે બીજી તરફ વાહનોમાં સુરક્ષાને લઈ કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે.
આ નિયમોનું પાલન કરવા કાર બનાવતી કંપનીને 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. સરકારના નિયમ મુજબની કાર બનાવવા અનેક ફેરફાર કરવા પડે છે. કારની ડિઝાઈનમાં અનેક નવા પ્રોજેક્ટ અને પાર્ટસને રાખવા પડે છે. જેથી કંપનીને પણ તેના માટે મોટું બજેટ ફાળવવું પડ્યું છે. સરકારના આટલા નિયમનું પાલન કરવા કંપનીએ ખર્ચ કર્યા બાદ જો કારનું વેચાણ ન થયું તો મોટી ખોટ ઉપાડવી પડશે.
[yop_poll id=”1″]
પોતાના ખર્ચને રિકવર કરવા કંપની દ્વારા માર્ઝીનમાં વધારો કરવામાં આવશે જેથી કારની કિંમતમાં વધારો થશે. આ કારણથી વેચાણમાં પણ અસર થવાની છે. આ મંદીમાંથી નિકળવા SIAM દ્વારા પેસેન્જર વાહનમાં થોડા સમય માટે GST ઘટાડવાની માગણી કરાઈ છે. 28માંથી 18 ટકા GST કરી દેવો જોઈએ.