VIDEO: આણંદના ઉમરેઠ ભરોડા રોડ પર સ્કૂલ બસે મારી પલટી
આણંદના ડુંગરીપુરા ગામે એક સ્કૂલ બસે પલટી મારી છે. ઉમરેઠ ભરોડા રોડ પર પુલાશ્રમ ઈન્ટરનેશનલ સ્કૂલની બસે પલટી મારી છે. સદનસીબે બસ હજુ સ્કૂલના બાળકોને લેવા જઈ રહી હોવાથી તેમાં કોઈ બાળકો ન હતા. જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે. પ્રાથમિક તપાસમાં બસનું સ્ટિયરિંગ લોક થઈ જવાને કારણે બસે પલટી મારી હોવાનું સામે આવ્યુ છે. […]
આણંદના ડુંગરીપુરા ગામે એક સ્કૂલ બસે પલટી મારી છે. ઉમરેઠ ભરોડા રોડ પર પુલાશ્રમ ઈન્ટરનેશનલ સ્કૂલની બસે પલટી મારી છે. સદનસીબે બસ હજુ સ્કૂલના બાળકોને લેવા જઈ રહી હોવાથી તેમાં કોઈ બાળકો ન હતા. જેને કારણે મોટી દુર્ઘટના ટળી છે. પ્રાથમિક તપાસમાં બસનું સ્ટિયરિંગ લોક થઈ જવાને કારણે બસે પલટી મારી હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો: પાણીની આવક વધતાં નર્મદા ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
શાળા પ્રશાસનને બસ રિપેર કરાવવા અંગે વખતોવખત રજૂ કરી હોવાનો બસ ચાલકે આક્ષેપ કર્યો છે. જો કે તેમ છતાં બસ રિપેર ન કરાવવામાં આવતી નહતી. ત્યારે સવાલ એ છે કે જો વિદ્યાર્થીઓ ભરેલી બસમાં કોઈ દુર્ઘટના થાત તો જવાબદાર કોણ ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો