તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ અને ગટરની સમસ્યાને લઈને અમરેલી રહ્યું આજે સજ્જડ બંધ!

અમરેલી શહેર આજે પોતાની જ સમસ્યાઓને લઈને જડબેસલાક બંધ રહ્યું હતું. શહેરમાં તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ જેવી સમસ્યાઓને લઈને લોકોએ બંધ પાળ્યો હતો. અમરેલી શહેરની દુર્દશાથી ત્રસ્ત અમરેલીના શહેરીજનો, ડોકટરો અને વેપારીઓ દ્વારા અમરેલી બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેનો શહેરીજનોએ જબ્બર પ્રતિસાદ આપ્યો અને ગામ સંપુર્ણ બંધ રહ્યું. આજે અમરેલી શહેર બચાવ અભિયાન નાગરીક સમિતી […]

તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ અને ગટરની સમસ્યાને લઈને અમરેલી રહ્યું આજે સજ્જડ બંધ!
Follow Us:
Mahendra Bagda
| Edited By: | Updated on: Feb 08, 2019 | 3:11 PM

અમરેલી શહેર આજે પોતાની જ સમસ્યાઓને લઈને જડબેસલાક બંધ રહ્યું હતું. શહેરમાં તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ જેવી સમસ્યાઓને લઈને લોકોએ બંધ પાળ્યો હતો.

અમરેલી શહેરની દુર્દશાથી ત્રસ્ત અમરેલીના શહેરીજનો, ડોકટરો અને વેપારીઓ દ્વારા અમરેલી બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેનો શહેરીજનોએ જબ્બર પ્રતિસાદ આપ્યો અને ગામ સંપુર્ણ બંધ રહ્યું. આજે અમરેલી શહેર બચાવ અભિયાન નાગરીક સમિતી દ્વારા શહેરના માર્ગો પર રેલી કાઢી અમરેલીના તુટેલા રસ્તાઓ, ખાડાઓ અને અરાજકતા દુર કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટર યોજનાના કામ અંતર્ગત લગભગ એક વર્ષથી અમરેલીમાં આડેધડ કામ કાજ ચાલી રરહ્યું છે. ઠેર ઠેર ખોદકામ અને કોઈપણ નિતીનિયમ અને આયોજન વગર કરવામાં આવતા ખોદકામથી પ્રજા હેરાન થઈ ગઈ છે. વધુમાં શહેરના લોકોનુ આરોગ્ય પણ જોખમમાં આવી રહ્યું છે. સતત ઉડતી ધુળના કારણે લોકોને અનેક બિમારીઓનો સામનો કરવો પડે છે. અમરેલી શહેર બચાવ આંદોલનના મુખ્ય સંયોજક ડો. ભરત કાનાબારે આ રેલીનુ આયોજન કરેલુ અને તેમના નેજા હેઠળ એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

આ આંદોલનમાં તમામ નાના મોટા વેપારીઓ, રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ એક નાગરીક તરીકે આ રેલીમાં જોડાયા હતા. જો કે અમરેલીના અધિક કલેક્ટર બી.એમ. પાંડોરએ જવાબ આપ્યો કે  બાબતેની રજુઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડી દેવામાં આવશે. આ આંદોલનની વિશેષતા એ રહી કે આમાં રાજકીય નેતાઓ કરતા ડોકટરો અને સામાન્ય વેપારીઓ આંદોલનમાં અગ્રસેર રહ્યાં. મોટાભાગના તબીબો પોતાના દવાખાના બંધ રાખીને આ રેલીમાં જોડાયાં હતાં.

[yop_poll id=1222]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">