અમદાવાદના મેયરે વડાપ્રધાનની અપિલ ના માની, લોકાર્પણના કાર્યક્રમમાં સોશયલ ડિસ્ટન્સ ભૂલાયુ
ગુજરાતમાં રાજકારણીઓ જ કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા લોકોર્પણના કાર્યક્રમમાં મેયર સહીતના પદાધિકારીઓએ, કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરીને ટોળે મળ્યા હતા. જ્યા પણ મેળાવડા હોય ત્યા સોશયલ ડિસ્ટન્સ જાળવવાની શીખ ખુદ રાજકારણીઓ જ આપતા હોય છે અને તેનો ભંગ પણ રાજકારણીઓ જ કરતા હોય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાયોડાયવર્સિટી પાર્કના […]
ગુજરાતમાં રાજકારણીઓ જ કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા લોકોર્પણના કાર્યક્રમમાં મેયર સહીતના પદાધિકારીઓએ, કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરીને ટોળે મળ્યા હતા. જ્યા પણ મેળાવડા હોય ત્યા સોશયલ ડિસ્ટન્સ જાળવવાની શીખ ખુદ રાજકારણીઓ જ આપતા હોય છે અને તેનો ભંગ પણ રાજકારણીઓ જ કરતા હોય છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાયોડાયવર્સિટી પાર્કના લોકાર્પણ દરમિયાન માસ્ક પહેરીને બે ગજની દુરી ના રાખી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર લોકોને અપિલ કરતા રહે છે કે બે ગજનુ અંતર બનાવી રાખો એટલે કે સોશયલ ડિસ્ટન્સ જાળવો પરંતુ અમદાવાદના મેયર સહીતના પદાધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંતર જાળવવાની અપિલને ઘોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃસંપૂર્ણ ફિ માફીની માંગ સાથે, રાજકોટમાં વાલીઓએ શરૂ કરી સહી ઝુંબેશ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો