અમદાવાદઃ વિરમગામમાં કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણીથી તરબોળ, બેદરકાર અધિકારીઓના વાંકે ખેડૂતોને પડતા પર પાટું
કુદરતી આફત હોય કે વહીવટી તંત્રની કોઈ બેદરકારી નુક્સાન માત્ર ખેડૂતોને જ ભોગવવાનું આવે છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં કાચી કેનાલ ઓવરફ્લો થતા 100 વીધા વાવેતરમાં પાણી ફરી વળ્યાં. વિરોચનગર અને ઘોડા ગામમાંથી પસાર થતી કેનાલની બંને તરફ જાણે તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ પણ વાંચો: VIDEO: પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા પાલનપુર ખોડલા […]
કુદરતી આફત હોય કે વહીવટી તંત્રની કોઈ બેદરકારી નુક્સાન માત્ર ખેડૂતોને જ ભોગવવાનું આવે છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં કાચી કેનાલ ઓવરફ્લો થતા 100 વીધા વાવેતરમાં પાણી ફરી વળ્યાં. વિરોચનગર અને ઘોડા ગામમાંથી પસાર થતી કેનાલની બંને તરફ જાણે તળાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.
આ પણ વાંચો: VIDEO: પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા પાલનપુર ખોડલા ગામના BSF જવાન શહીદ
આ કેનાલ ઓવરફ્લો થવાને 24 કલાક વિત્યા છતાં કોઈ જવાબદાર અધિકારીઓ હજી સુધી પહોંચ્યા નથી. કેનાલના અધિકારીઓના વાંકે ખેડૂતોનું રવિ વાવેતર નિષ્ફળ જશે. ત્યારે ખેડૂતોને કોઈ વળતર મળશે કે કેમ તે મોટો સવાલ છે. એક તરફ લાખો લીટર પાણીનો વ્યય થયો તો બીજી તરફ ખેડૂતોનું વાવેતર વેડફાઈ ગયું. પાણીથી લબાલબ ભરેલા ખેતરો જોઈને તમે કલ્પના કરી શકો છે કે સિંચાઈ વિભાગની કામગીરીમાં કેટલી લાલિયાવાડી ચાલી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો