કપિલે ઘરે કહ્યું કે ફરવા જાઉં છું અને શાહીનબાગમાં ગોળી ચલાવી દીધી!
જામિયા બાદ શાહીનબાગમાં ગોળીબાર ચલાવનારા યુવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ યુવકનું નામ કપિલ ગુજ્જર છે તેવું તપાસમાં ખૂલ્યું છે. જો કે શા માટે તેણે આ કામ કર્યું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. કપિલ પત્રકારત્વનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. તેને પત્રકારત્વ ભણવાનું અડધું જ છોડીને પિતાનો ડેરીનો ધંધો જોઈન કર્યો હતો. […]
જામિયા બાદ શાહીનબાગમાં ગોળીબાર ચલાવનારા યુવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ યુવકનું નામ કપિલ ગુજ્જર છે તેવું તપાસમાં ખૂલ્યું છે. જો કે શા માટે તેણે આ કામ કર્યું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. કપિલ પત્રકારત્વનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. તેને પત્રકારત્વ ભણવાનું અડધું જ છોડીને પિતાનો ડેરીનો ધંધો જોઈન કર્યો હતો.
આ પણ વાંચો : વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કર્યું સંબોધન
કપિલના પિતાએ આ બાબતે જણાવ્યું કે કપિલ બપોરના સમયે ઘરે ભોજન લઈને નીકળ્યો હતો. ક્યાં ગયો તે અમને ખબર નહોતી. ગામના અમુક છોકરાઓ જ્યારે હાંફતા હાંફતા ઘરે પહોંચ્યા અને તેઓએ જણાવ્યું કે કપિલે શાહીનબાગમાં ગોળી ચલાવી દીધી છે. તેમના પિતાએ વધુમાં જણાવ્યું કે આ ઘટનાની જાણ થયા બાદ તેઓને પહેલો એજ સવાલ થયો કે શા માટે શાહીનબાગ ક્યો અને કોના કહેવાથી ગયો? બીજો સવાલ કે તેની પાસે હથિયાર કયાથી આવ્યા? આમ કપિલના પિતાએ જણાવ્યું કે તેઓ પોતે આ ઘટનાથી માહિતગાર નથી.
કપિલના ભાઈએ અમારું આખું ગામ કપિલના આ વર્તનથી ચિંતામાં છે. કોઈને પણ આવી ખબર નહોતી કે કપિલ આવું કંઈક કરી બેસશે. અમે બધા શાહીનબાગ પોલીસ સ્ટેશન જઈ રહ્યાં છે. સાંભળ્યું કે પોલીસ તેને પકડીને ત્યાં લઈ ગયી છે. કપિલના પિતાએ બસપામાંથી અમુક વર્ષો પહેલાં નગર નિગમની ચૂંટણી લડી હતી. જો કે તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. કપિલ અમારી સાથે દૂધના વ્યાપાર અને પ્રોપર્ટી ડિલીંગમાં મદદ કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ શાહીનબાગ ખાતે કપિલ ગુર્જરે તમંચો કાઢ્યો હતો અને હવામાં ફાયરિંગ કરીને કહ્યું હતું કે આ દેશમાં ફક્ત હિંદુઓનું જ ચાલશે. દિલ્હીમાં શાહીનબાગ વિરોધ પ્રદર્શન દેશમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નાગરિકતા કાયદાના વિરોધમાં 24 કલાક અહીં મહિલાઓ વિરોધ કરી છે. દેશના કાયદા મંત્રીએ શાહીનબાગના પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવાની વાત કરી છે.