AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ‘આજી ડેમ મરવા જાઉં છું’ વોટ્સએપમાં એવું સ્ટેટસ મૂકી યુવક ગુમ, પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટમાં એક યુવકે પોતાના વોટ્સએપમાં આત્મહત્યા કરવાનું સ્ટેટસ મૂકી મોબાઇલ ફોન સ્વીચ કરી દેતા યુવકના ભાઇ સંજય સરવૈયાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Rajkot : 'આજી ડેમ મરવા જાઉં છું' વોટ્સએપમાં એવું સ્ટેટસ મૂકી યુવક ગુમ, પોલીસે તપાસ શરૂ કરી
Rajkot young missing
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 27, 2023 | 10:59 PM
Share

Rajkot : રાજકોટમાં એક યુવકે પોતાના વોટ્સએપમાં (WhatsApp) સ્ટેટસ મૂક્યું કે હું આજી ડેમ મરવા માટે જાઉં છું. મારી લાશ આજી ડેમમાંથી મળશે અને ત્યારબાદ પોતાનો મોબાઇલ ફોન સ્વીચ કરી દેતા પરિવારજનો અને પોલીસ દોડતી થઇ છે. રાજકોટના લાતી પ્લોટ શેરી નંબર 10માં રહેતા જગદિશ સરવૈયા નામનો 35 વર્ષીય યુવાન મંગળવારે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં તેને વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું હતું અને ત્યારબાદ પોતાનો મોબાઇલ ફોન સ્વીચઓફ કરી દીધો હતો. આ મામલે યુવકના ભાઇ સંજય સરવૈયાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો Rajkot : ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇમિટેશન આર્ટથી મઢેલું વિમાન ભેટ અપાશે

વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યા

યુવકે સ્ટેટ્સમાં લખ્યું છે કે, આજે હું આત્માહત્યા કરું છું મારા મરવા પાછળ કોઈ કારણ નથી. મારા ગયા પછી પોલીસ સાહેબ તમને વિનતી છે કે કોઈને હેરાન ના કરતા. મારી લાશ તમને આજી ડેમમાંથી મળી જશે. મારા મોતનું કારણ હું ખુદ છું કોઈને હેરાન ના કરતા. તેમજ બધા મિત્રોને છેલા રામ રામ કર્યા હતા.

WhatsApp status

WhatsApp status

જયારે બીજા સ્ટેટસમાં લખ્યું છે કે, મારા ઘરના બધા મને માફ કરી દે જો હું દુનિયા છોડીને જાઉં છું, મારા ગયા પછી મારી છોકરીને મારા મમ્મીનું ધ્યાન રાખજો હું જિંદગી થાકી ગયો છું મને માફ કરી દેજો મારી લાશ આજી ડેમમાંથી મળી જશે. હું પડવા જાવ છું. સોરી સોરી સરવૈયા પરિવારનું ફેમિલી સોરી માફ કરી દેજો. આ ઉપરાંત તેણે તેના પરિવારના દરેક સભ્યોની માફી માગતું સ્ટેટસ પણ મૂક્યું હતું.

પોલીસે શરૂ કરી તપાસ

બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટે TV9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આ યુવકની ગુમ નોંધ મળ્યા બાદ અમે તપાસ શરૂ કરી છે.હાલમાં તેનો મોબાઇલ ફોન સ્વીચઓફ છે. બી ડિવીઝન પોલીસ અને આજીડેમ પોલીસ દ્વારા આજીડેમ અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ યુવકનો કોઇ પત્તો લાગ્યો નથી. હાલમાં સર્વેલન્સની મદદથી તેની શોધખોળ કરી રહ્યા છે. આજી ડેમમાં પણ તપાસ કરતા ત્યાં કોઇ ડુબેલી વ્યક્તિ મળી આવી નથી.

અગાઉ એક આવી જ ઘટના સામે આવી હતી

આ પહેલી વખત નથી અગાઉ પણ આ રીતે એક યુવકે તરકટ રચ્યું હતું. આજીડેમ પાસે જઇને એક વિડીયો બનાવ્યો હતો અને પોતે આત્મહત્યા કરે છે તેવો વિડીયો પરિવારને મોકલ્યો હતો. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કલાકો સુધી આ યુવકની શોધખોળ કરવામાં આવી હતી અને બીજા દિવસે આ યુવક સામે ચાલીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. પોતે ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા હારી ગયો હોવાથી દેણું થઇ ગયું હતું. જો કે, ડેમમાં પડવાની હિંમત ન ચાલી હોવાને કારણે કુદકો ન લગાવ્યો હોવાનું કહીને પોતાનો લુલો બચાવ કર્યો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">