AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ

Breaking News : નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2026 | 9:46 AM
Share

નવસારીના અમલસાડ ગામે એક લગ્ન સમારંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગના લક્ષણો જોવા મળ્યા. લગ્નમાં જમણવાર બાદ વરરાજા સહિત જાનૈયાઓને ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ શરુ થવા લાગી હતી. ગામના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આશરે 70 થી વધુ લોકો ફૂડ પોઇઝનિંગના ભોગ બન્યા હતા.

નવસારીના અમલસાડ ગામે એક લગ્ન સમારંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝનિંગના લક્ષણો જોવા મળ્યા. લગ્નમાં જમણવાર બાદ વરરાજા સહિત જાનૈયાઓને ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ગામના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આશરે 70 થી વધુ લોકો ફૂડ પોઇઝનિંગના ભોગ બન્યા હતા.

તબિયતમાં વધુ લથડતા 12 જાનૈયાઓને તાત્કાલિક રીતે નજીકની આરોગ્ય સંસ્થા, જલાલપોર CHC ખાતે દાખલ કરવામાં આવ્યા, જ્યારે વરરાજા સહિત અન્ય 10 લોકોને સારવાર આપવામાં આવી. આ જમણવારમાં અંદાજે એક હજાર લોકોએ ભોજન લીધું હતું, જે કારણે સંભવિત ફૂડ પોઇઝનિંગની ઘટનાનો વિસ્તાર વધી ગયો હતો.

જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરતાં 40 આરોગ્યકર્મીઓની ટીમ ઉતારવામાં આવી હતી, જે ગંભીર પીડિતોનું સારવાર અને બીમારીના કારણોની તપાસમાં વ્યસ્ત છે. આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અને સંભવિત લક્ષણો દેખાય તો તરત સારવાર લેવા અપીલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">