26/11 મુંબઈ હુમલોઃ 12મી વરસી પર ભારતીય ક્રિકેટરોએ પણ શહીદોને અર્પી શ્રદ્ધાંજલી

26 નવેમ્બર 2008માં દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સૌથી મોટો આંતકી હુમલો થયો હતો. આજે આંતકી હુમલાની 12મી વર્ષી પર દેશભરે શહીદો અને મૃતકોને યાદ કર્યા હતા. શહીદોને દેશભરમાંથી આજે શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ આંતકી હુમલાની વરસી પર શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ધન્યવાદ કર્યા હતા. […]

26/11 મુંબઈ હુમલોઃ 12મી વરસી પર ભારતીય ક્રિકેટરોએ પણ શહીદોને અર્પી શ્રદ્ધાંજલી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 26, 2020 | 11:10 PM

26 નવેમ્બર 2008માં દેશની આર્થિક રાજધાની મુંબઈ પર સૌથી મોટો આંતકી હુમલો થયો હતો. આજે આંતકી હુમલાની 12મી વર્ષી પર દેશભરે શહીદો અને મૃતકોને યાદ કર્યા હતા. શહીદોને દેશભરમાંથી આજે શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ આંતકી હુમલાની વરસી પર શહીદોના બલિદાનને યાદ કરીને તેમને ધન્યવાદ કર્યા હતા. 12 વર્ષ પહેલા 10 પાકિસ્તાની આંતકીઓએ મુંબઈની તાજ હોટલ અને રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ હુમલામાં 160થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આંતકીઓએ ત્રણ દિવસ સુધી તાજ હોટલમાં પોતાની હરકતોને અંજામ આપ્યો હતો. જેના પછી મુંબઈ પોલીસ અને એનએસજી કમાન્ડોના ઓપરેશનમાં તમામ આંતકીઓનો સફાયો કરીને હોટલને મુક્ત કરી હતી. આ હુમલા અને ઓપરેશનમાં સુરક્ષાદળોના પણ જવાન શહીદ થયા હતા.

26/11 mumbai attack 12 mi varsi par Indian Cricketero e pan shahido ne arpi shardhajanli

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુંબઈ હુમલાની 12મી વરસી નિમિત્તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યુ હતુ. જે દ્વારા તેમણે માર્યા ગયેલા નિર્દોષ લોકોને યાદ કર્યા હતા અને શહીદોને સલામી આપી હતી. કોહલીએ લખ્યુ હતુ કે, 26/11 હુમલામાં નિર્દોષ જીવ ગુમાવ્યા છે અને જે ઝાંબાજોને આપણે ખોયા છે, તેમને યાદ કરુ છુ. આપ સૌ હંમેશા અમારા દિલોમાં રહેશો અને યાદ આવશો.

https://twitter.com/imVkohli/status/1331823750329757696?s=20

ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ આ દિવસને યાદ કરતા ક્હ્યુ કે, તે ઘટનાના નિશાન આજે પણ છે. સચિને લખ્યુ હતુ, ઘા ભલે ભરાઈ ગયા હોય, પરંતુ તેના નિશાન આજે પણ બાકી છે. અનેક લોકોએ જાન ગુમાવી, અનેક બલીદાન થયા, કોઈપણ ખરાબ પરીસ્થિતીથી ઉભરવાની માનવ ઈચ્છાશક્તિને યાદ રાખવાની તક રહે. આપણા તમામ શહિદોને શ્રદ્ધાંજલી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

https://twitter.com/virendersehwag/status/1331799734755880961?s=20

https://twitter.com/ajinkyarahane88/status/1331857765510344707?s=20

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">