VIDEO: વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો કર્યો જાહેર
વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે કુલ 199 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો મોરબીમાં 15 લોકોના મુશળધાર વરસાદને કારણે મોત થયા છે. મહત્વનું છે કે, વીજળી પડવાથી રાજ્યમાં કુલ 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. […]
વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે કુલ 199 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો મોરબીમાં 15 લોકોના મુશળધાર વરસાદને કારણે મોત થયા છે. મહત્વનું છે કે, વીજળી પડવાથી રાજ્યમાં કુલ 54 લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃ પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો ભારે વરસાદને કારણે 89 લોકોના પાણીમાં તણાવાથી મોત થયા છે. આ ઉપરાંત દિવાલ તેમજ વૃક્ષ પડવાને કારણે 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો રાજ્યસરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય કરી છે. કુલ 179 પરિવારજનોને રૂપિયા 7 કરોડ 16 લાખની સહાય કરવામાં આવી છે. તો 9 જેટલા મૃતકોના પરિવારજનોને સહાય કરવાની હજુ બાકી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો