રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 1343 પોઝિટિવ કેસ સાથે 12 દર્દીઓના કોરોનાથી થયા મોત
રાજ્યમાં ધીમેધીમે કોરોનાનો કેર વધી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,343 પોઝિટિવ કેસ સાથે 12 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 41 હજાર 398ને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,490 પર પહોંચ્યો છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં 4 દર્દીઓના […]
રાજ્યમાં ધીમેધીમે કોરોનાનો કેર વધી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,343 પોઝિટિવ કેસ સાથે 12 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 41 હજાર 398ને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,490 પર પહોંચ્યો છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં 4 દર્દીઓના મોત સાથે 194 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે સુરતમાં વધુ 277 પોઝિટિવ કેસ સાથે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો. વડોદરામાં 2 દર્દીઓના મોત સાથે નવા 128 પોઝિટિવ કેસ નોંધાયા. બનાસકાંઠા જિલ્લામાં 2 દર્દીઓના મોત સાથે 24 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે રાજકોટમાં 163 કેસ નોંધાયા.
આ પણ વાંચો: બનાસકાંઠા: મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને ધક્કા, VCE કર્મચારીઓની હડતાળથી હાલાકી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો