AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સહિત દેશભરના 12.40 લાખ કેમિસ્ટો 20 મેના રોજ પાળશે સજ્જડ બંધ, સરકાર સામે રાખી ત્રણ માંગ

ઓનલાઈન દવા કંપનીઓના ભારે ડિસ્કાઉન્ટ અને અનિયમિત કામકાજ સામે 'ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ' (AIOCD) એ દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે. સંગઠનનો આરોપ છે કે ઈ-ફાર્મસીને કારણે નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં છે અને ખોટા પ્રિસ્ક્રિપ્શનથી દવાઓના વેચાણને કારણે જાહેર આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.

ગુજરાત સહિત દેશભરના 12.40 લાખ કેમિસ્ટો 20 મેના રોજ પાળશે સજ્જડ બંધ, સરકાર સામે રાખી ત્રણ માંગ
Image Credit source: AI
| Updated on: May 12, 2026 | 8:13 PM
Share

દેશભરમાં દવાના વ્યવસાય સાથે જોડાયેલું એક મોટું આંદોલન આકાર લઈ રહ્યું છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) એ 20 મે 2026 ના રોજ દેશવ્યાપી બંધની જાહેરાત કરી છે. સંગઠનનો દાવો છે કે આ એક દિવસીય બંધમાં 12.40 લાખથી વધુ કેમિસ્ટ અને દવા વિતરકો જોડાશે. ઓનલાઈન ફાર્મસીની વધતી દખલ અને સરકારની નિષ્ક્રિયતા સામે આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓનલાઈન ફાર્મસી પર ગંભીર આરોપો

સંગઠનનું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર યોગ્ય ચકાસણી વિના દવાઓ વેચાઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત નકલી પ્રિસ્ક્રિપ્શન દ્વારા એન્ટિબાયોટિક્સ અને નશાકારક દવાઓ સરળતાથી મળી રહે છે. આનાથી એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જેવી ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે, જે જાહેર આરોગ્ય માટે જોખમી છે.

ભારે ડિસ્કાઉન્ટથી નાના વેપારીઓ પર સંકટ

મોટી કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને બજારનું સંતુલન બગાડી રહી છે. આ “પ્રિડેટરી પ્રાઇસિંગ” ને કારણે ગ્રામીણ અને નાના શહેરોના મેડિકલ સ્ટોર્સ બંધ થવાની અણી પર છે. જો આ સ્થાનિક સ્ટોર્સ બંધ થશે, તો અંતરિયાળ વિસ્તારોમાં દર્દીઓ સુધી દવા પહોંચાડવી મુશ્કેલ બની જશે. સંગઠન મુજબ, આ વ્યવસાય સાથે જોડાયેલા લગભગ 5 કરોડ લોકોની આજીવિકા જોખમમાં છે.

કોવિડ સમયના નિયમો પાછા ખેંચવાની માંગ

AIOCD એ કોવિડ-19 મહામારી દરમિયાન જારી કરાયેલા અસ્થાયી નોટિફિકેશન G.S.R. 220(E) ને હજુ પણ ચાલુ રાખવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ નિયમોનો ફાયદો ઉઠાવીને ઓનલાઈન પ્લેટફોર્મ સુરક્ષા માપદંડોમાં છૂટછાટ મેળવી રહ્યા છે.

AIOCD ની મુખ્ય ત્રણ માંગણીઓ:

  • કોવિડ સમયનું અસ્થાયી નોટિફિકેશન G.S.R. 220(E) તાત્કાલિક પાછું ખેંચવામાં આવે.
  • ઈ-ફાર્મસી સંબંધિત G.S.R. 817(E) નોટિફિકેશન રદ કરવામાં આવે.
  • નાની દુકાનોને સમાન તક મળે તે માટે “લેવલ પ્લેઇંગ ફિલ્ડ” પોલિસી લાગુ કરવામાં આવે.

સંગઠનના પ્રમુખ જે. એસ. શિંદે અને સેક્રેટરી રાજીવ સિંઘલે ચેતવણી આપી છે કે જો 20 મે સુધીમાં સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે, તો આ આંદોલન અનિશ્ચિતકાળ માટે લંબાવવામાં આવશે.

શું તમને પણ સતત થાક લાગે છે ? સામાન્ય નબળાઈ માનીને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, નિષ્ણાતોએ આપી ચેતવણી

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">