પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો

મૃત્યુ થવાના અનેક કિસ્સાઓમાં તમે સાંભળ્યું હશે કે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. પરંતુ ક્યારેય એ સવાલ થયો છે કે પોસ્ટ મોર્ટમ એટલે એ શું છે? શા માટે જરુરી છે પોસ્ટ મોર્ટમ અને એમાં શું કરવામાં આવે છે? પહેલા સાંજ ઢળ્યા બાદ સવાર સુધી પોસ્ટ મોર્ટમ કરવામાં આવતુ નહોતુ. પરંતુ હવે કેટલીક ઘટનાઓમાં છૂટછાટ પણ આપવામા આવી છે.

પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે? ડેડ બોડી સાથે શું શું કરવામાં આવે છે, જાણો
પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવે છે?
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 4:30 PM

પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ એ મૃત્યુના કારણને જાણવા માટે કરાતી એ જરુરી કાર્યવાહી છે. પોસ્ટ એટલે બાદમાં અને મોર્ટમ આમ મૃત્યુ બાદ મોતમાં કારણને જાણવા માટે પીએમ કરવામાં આવે છે. ખાસ કરીને અકસ્માત, શંકાસ્પદ મોત કે હત્યા સહિતની ઘટનાઓમાં થતા મૃત્યુને લઈ લાશનુ પીએમ કરીને મોતનું કારણ જાણવામાં આવે છે. આ માટે મૃત્યુ બાદ શરીરની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.

કેવી રીતે કરાય છે પોસ્ટ મોર્ટમ?

રીપોર્ટસ મુજબ મૃત શરીરની છાતી પાસે કટ મુકવામાં આવે છે. જે કટ દ્વારા શરીરની અંદરના કેટલાક પાર્ટસને બહાર નિકાળવામાં આવે છે. મૃત્યુનું કારણ જાણવા માટે જરુરી અંગો એટલે કે કીડની, હ્રદય, લીવર સહિતના કેટલાંક પાર્ટસ બહાર નિકાળવામાં આવે છે. જેને વિસેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે બાદ તબીબો મૃત્યુ થવાનુ કારણ સંપૂર્ણ તપાસ વડે શોધવાનુ કાર્ય કરતા હોય છે.

સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ ડોક્ટર કરતાં હોય છે. જોકે પેથોલોજીસ્ટને આ કાર્ય માટે યોગ્ય માનવામાં આવે છે. પરંતુ પીએમ દરમિયાન જે વિસેરા મેળવવામાં આવે છે એને પેથોલોજીસ્ટ દ્વારા અધ્યયન કરતાં હોય છે. જે બાદ તેઓ મૃત્યુ અંગેના કારણને દર્શાવતા હોય છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આટલા સમયમાં પીએમ કરવુ જરુરી

વ્યક્તિના મૃત્યુમા છ થી દશ કલાકમાં જ પીએમ કરવાનું જરુરી છે. કારણ કે સમય વીતવા લાગતાં જ બોડીમાં ફેરફાર શરુ થતા હોય છેં. બોડી ફુલવા પણ લાગતી હોય છે. આમ મૃત્યુ બાદના થોડાક કલાકોમાં પીએમ કરવાથી મોત અંગે અસલી કારણ જાણી શકાય છે.

ડોક્ટર દ્વારા પીએમ બાદ ૨૪ કલાકમાં જ ઈનીશીયલ રિપોર્ટ આપવામાં આવે છે. આ દરમિયાન વિસેરા ને અધ્યયન કરવા માટે લેબમાં મોકલવામાં આવે છે. જે લગભગ એકાદ બે મહિનામાં વિગતવાર માહિતી સાથે સોંપવામાં આવે છે.

રાત્રે નથી પોસ્ટ મોર્ટમ નથી કરાતુ?

અનેકવાર રાત્રીના સમયે પોસ્ટ મોર્ટમ નહી કરવાનુ સાંભળ્યું હશે. સંધ્યા કાળ થી સવારના પ્રથમ કિરણના સમય દરમિયાન પીએમ કરવામાં આવતુ નથી. આ માટેનુ કારણ પ્રકાશ છે. સામાન્ય લાઈટમાં પીએમ નહીં કરવા માટે ચોક્કસ ગાઇડ લાઇન હોય છે. રાત્રીના અંધકારમાં વીજળીના પ્રકાશથી પીએમ કરતા થોડોક ફરક જોવા મળે છે.

લાઈટના પ્રકાશમાં ઈજાથી નિકળેલ લોહી સ્પષ્ટ રંગમાં જોવા મળવાને બદલે થોડાક અલગ રંગથી જોવાય છે. જે સહેજ જાંબલી જેવા રંગ જેવું દેખાય છે, જે રંગને ફોરેન્સીક સાયન્સમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. જોકે હવે કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ વ્યવસ્થામાં થોડાક સમયથી ફેરફાર કર્યો છે. જ્યાં રાત્રી પીએમ માટે પૂરતી આધુનિક સગવડો છે ત્યાં પીએમ રાત્રે કરી શકાશે. જ્યાં કુદરતી પ્રકાશની રાહ જોવાને બદલે રાત્રી દરમિયાન જ મોટા ભાગના મૃત્યુ ના કેસમાં પીએમ કરી શકાશે.

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">